________________
મોહાધકારથી વ્યાપ્ત છે. ઉપાધ્યાયજીએ તો મોહને અંધકાર નથી કહ્યો, ઝેર-વિષ કહ્યું છે. સમગ્ર સંસાર મોહવિષથી વ્યાપ્ત છે. સંસારની હવા મોહના ઝેરથી ઝેરી બની ગઈ છે. પરંતુ આ વાત તમારી બુદ્ધિમાં ઊતરે છે ખરી? તમને લાગે છે કે તમારા મન ઉપર મોહવિષની અસર છે? મન ઉપર, ચિત્ત ઉપર મોહવિષની અસર છે કે નથી એ વાતનો નિર્ણય કેવી રીતે કરશો? નિર્ણય કરવો પડશે. નિર્ણય કરવા માટે એક વાતનો વિચાર કરવાનો છે : “મારા મનમાં કોઈ પણ પ્રકારનું. ઝેર છે ખરું? કોઈ પણ પ્રકારનો ખેદ, ઉદ્વેગ છે? કોઈ પણ પ્રકારનો ભય છે? જો હોય તો નિશ્ચિત રૂપે મોહવિષની અસર છે તમારા મન ઉપર.
- ૨ સુવું શમર્ષિ જે મનમાં મોહવિષની અસર હોય છે એ મનમાં સુખનો અંશ પણ હોતો નથી. તમે ગમે તેટલા ઉપાય કરો... ભૌતિક... ધાર્મિક.... પરંતુ તમને સુખ નહીં મળે. જ્યાં સુધી મોહનું ઝેર હશે ત્યાં સુધી “સુખ’ નામનું તત્ત્વ તમે નહીં જ પામી શકો ! સર્વ પ્રથમ મોહવિષને દૂર કરવું પડશે. મોહવિષનો પ્રભાવ:
મોહવિષનો પ્રભાવ... મોહવિષાદથી ઉત્પન ઝેરીલા પ્રભાવોને જાણો છો? કેટલીક તીવ્ર વાસનાઓ મનમાં ઊપજે છે.
– ધનસંપત્તિની વાસના. – પત્ની-પુત્રાદિની વાસના. - યશ-કીર્તિની વાસના. - શરીર-આરોગ્યની વાસના.
આ વાસનાઓ મનને સુખશાન્તિનો અનુભવ કરવા દેતી નથી. આ વાસનાઓમાંથી એક પણ વાસના મનમાં જાગે છે તો તીવ્ર - તીવ્રતર બને છે, ત્યારે મનુષ્યને, જીવાત્માને અશાન્ત-બેચેન કરી દે છે. આપણે મધ્યસ્થ દ્રષ્ટિથી સંસારને જોઈએ તો આ વાત સ્પષ્ટ રૂપે સમજવામાં આવી જશે. - એક ભાઈનું શરીર નીરોગી છે. સુશીલ પત્ની છે. સમાજમાં માને છે. પરંતુ ધન
સંપત્તિ નથી. મેં એને દુઃખી જોયો છે. - એક ભાઈ ધનવાન છે. શરીર નીરોગી છે. પત્ની છે, યશ છે, પરંતુ સંતાન નથી,
પુત્ર નથી, મેં એને દુઃખી જોયો છે. - એક ભાઈ સંપત્તિવાન છે. પત્ની છે, પુત્ર છે, શરીર સારું છે, પરંતુ યશ નથી,
કીતિ નથી. તે પોતાને દુઃખી માને છે. - એક ભાઈ પાસે ધનસંપત્તિ છે. પત્ની-પુત્ર છે, યશ છે, પરંતુ શરીર રોગોથી
પ્રસ્તાવના