________________
સળગી ઊઠી. કેમ ? ભાવનાઓનું ચિંતન કર્યું ન હતું. ‘એકત્વ’ અને ‘અન્યત્વ’ ભાવનાનું મનન કર્યું ન હતું. ‘સંબંધોની અનિત્યતા’ અંગેનું જ્ઞાન હતું, પરંતુ ભાવના ન હતી. અધ્યયન હતું, પરંતુ અનુપ્રેક્ષા ન હતી. એટલા માટે બૌદ્ધાચાર્ય અને બૌદ્ધ ભિક્ષુઓ પ્રત્યે તીવ્ર રોષને લીધે વાદ-વિવાદ કરીને ભિક્ષુઓને મોતને ઘાટ ઉતારવાની વાત કરવા લાગ્યા. તેમણે રાજા સૂરપાળને કહ્યું ઃ ‘રાજન્, એ દુષ્ટ બૌદ્ધ ભિક્ષુઓને અહીં બોલાવીને કહો કે તમારે જૈનાચાર્ય હરિભદ્રસૂરિ સાથે વાદ-વિવાદ ક૨વાનો છે. જે હારે તેને ગરમાગરમ તેલના કુંડમાં પડવું પડશે.’
રાજાએ બૌદ્ધાચાર્યને બોલાવીને આખી વાત કરી. વાદ-વિવાદ નિશ્ચિત થઈ ગયો. વાદ પ્રારંભ થયો. બીજી બાજુ ગરમાગરમ તેલ કુંડમાં ભરવામાં આવ્યું. ત્યારબાદ એક પછી એક એવા પાંચ બૌદ્ધ ભિક્ષુઓ હારી ગયા. બધાને તેલના કુંડમાં નાખી દેવામાં આવ્યા. તે બધા જ મૃત્યુની ગોદમાં સમાઈ ગયા.
આ વિષયમાં અલગ-અલગ પ્રાચીન ગ્રંથોમાં અલગ-અલગ મંતવ્યો પ્રાપ્ત થાય
છે.
‘પ્રભાવકચરિત્ર' નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે -
‘પોતાના બે શિષ્યોના મૃત્યુથી રોષાયમાન બનેલા હિરભદ્રસૂરિએ મહામંત્રના પ્રભાવથી બૌદ્ધ ભિક્ષુઓને ખેંચી લાવીને - આકાશમાર્ગેથી લાવીને ગરમાગરમ તેલના કુંડમાં નાખી દીધા.
‘પુરાતન પ્રબંધસંગ્રહ’ નામના ગ્રંથમાં આ પ્રમાણે ઉલ્લેખ છે ઃ
બૌદ્ધ ભિક્ષુઓ પ્રત્યે પ્રચંડ ક્રોધ પેદા થવાથી હિરભદ્રસૂરિએ ઉપાશ્રયની પાછળ ગરમ તેલનું અતિવિશાળ પાત્ર તૈયાર કરાવીને મંત્રપ્રભાવથી બૌદ્ધ ભિક્ષુઓને આકાશમાર્ગેથી લાવીને તેમાં નાખ્યા. ૭૦૦ ભિક્ષુઓ તેમાં મર્યા. ‘પ્રભાવકચરિત્ર’ના મતે ૧૪૪૦ ભિક્ષુઓ મર્યા.
હરિભદ્રસૂરિ ઉપશાન્ત થાય છે ઃ
-
આ બાજુ ચિત્રકૂટમાં ગુરુદેવ જિનદત્તસૂરિજીને બૌદ્ધ ભિક્ષુઓના વિનાશનો અને હરિભદ્રસૂરિજીના પ્રચંડ કષાયનો ખ્યાલ આવી ગયો. તેમણે હરિભદ્રસૂરિને શાન્ત કરવા ત્રણ ગાથાઓ આપીને સાધુઓને હરિભદ્રસૂરિજી પાસે મોકલ્યા. ત્રણ ગાથાઓ આ પ્રમાણે છે ઃ
गुणसेन - अग्गिसम्मा- सीहाणंदा य तह पियापुत्ता । સિદ્િ—ખાળિીમા–મુઆ, ધળ-પળિિીમોવ પ−મન્ના || ||
૨૦
પ્રસ્તાવના