________________
ઓરડામાં પટકાવ્યા. એક પછી એક ઘડો ફૂટવા લાગ્યો. બધા વિદ્યાર્થીઓ જાગી ઊઠ્યા અને પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. હંસ-પરમહંસના મુખમાંથી નમો અરિહંતાણં નીકળી ગયું. બૌદ્ધ ગુપ્તચરીએ નિર્ણય કર્યો કે “આ બે જણા જેનો છે.'
હંસ-પરમહંસ પણ સાવધાન થઈ ગયા. તરત જ વિદ્યાપીઠ છોડીને, નગર ત્યજીને ભાગવા માંડ્યા. આચાર્ય નગરના બૌદ્ધ રાજાને બધી વાત કરી અને હંસપરમહંસને પકડીને પાછા લાવવા કહ્યું. રાજાના સૈનિકો દોડ્યા. હંસ-પરમહંસે સૈનિક ઘોડેસવારોને પોતાની નજીક આવતા જોયા. હંસે પરમહંસને કહ્યું તું આપણા ગુરુદેવની પાસે પહોંચીને એમની આજ્ઞાનું આપણે પાલન ન કરી શક્યા તેની “
મિચ્છામિ દુકર્ડ’ કહેજે. તું અત્યારે ક્ષત્રિય રાજા સૂરપાળ પાસે જજે. તે રાજા શરણાગતની રક્ષા કરશે. હું અહીં ઊભો રહીશ. બૌદ્ધ સૈનિકોને અહીં રોકી લઈશ, તેમની સાથે યુદ્ધ કરીશ, તું રાજાની પાસે પહોંચી જા.”
પરમહંસ રડી પડ્યો. હંસના ચરણે પ્રણામ કરીને તે ચાલી નીકળ્યો. હંસે બૌદ્ધ રાજાના સૈનિકો સાથે યુદ્ધ શરૂ કર્યું. જ્યાં સુધી પરમહંસ સૂરપાળ રાજાને શરણે પહોંચી ન જાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાનું હતું. યુદ્ધમાં હંસનું મૃત્યુ થઈ ગયું. પરમહંસને સૂરપાળે શરણ આપ્યું. બૌદ્ધ સૈનિકો પણ રાજા સૂરપાળ પાસે ગયા અને બોલ્યાઃ પરમહંસ અમને સોંપી દો.” રાજાએ કહ્યું: “એ મારો શરણાગત છે. હું એને સોંપી શકું નહીં. ભલે ગમે તે થઈ જાય.'
બૌદ્ધ સૈનિકોના ખૂબ આગ્રહને લીધે રાજાએ પરમહંસ સાથે પરામર્શ કરવા કહ્યું. “તમારા બૌદ્ધાચાર્ય અને પરમહંસનો મારી રાજસભામાં વાદવિવાદ થાય. જો પરમહંસ હારી જાય તો તેને લઈ જઈ શકો છો. નહીંતર તે પોતાના સ્થાને ચાલ્યો.
જશે.'
બૌદ્ધાચાર્યની સાથે પરમહંસનો વાદ-વિવાદ શરૂ થયો. તે ખૂબ દિવસ ચાલ્યો. પરમહંસને કંઈક શંકા થઈ, તેણે જૈનધર્મની અધિષ્ઠાયિતા અંબિકાદેવીનું સ્મરણ કર્યું. અંબિકાદેવીએ કહ્યું: ‘પરમહંસ, પડદાની પાછળ ઘડામાં મુખ રાખીને બૌદ્ધ ધર્મની અધિષ્ઠાત્રી તારાદેવી વાદ કરી રહી છે. એટલા માટે તું પડદો હટાવીને પ્રતિવાદીને કહે કે તે તારી સામે આવીને વાદ કરે.”
બીજે દિવસે પરમહંસે અંબિકાદેવીના કહેવા પ્રમાણે બૌદ્ધાચાર્યને પડકાર કર્યો. જો તારામાં શક્તિ હોય તો હવે પડદો હટાવીને મારી સામે આવીને વાદ કર.” પરંતુ આચાર્યમૌન રહ્યા. પરમહંસે પડદો દૂર કર્યો અને લાત મારીને ઘડાને ફોડી નાખ્યો. બૌદ્ધાચાર્યનો તિરસ્કાર કરીને કહ્યું: ‘તું અધમ પંડિત છે. હવે મારી સાથે વાદ કર.”
. ૧૮
પ્રસ્તાવના
|