________________
સુખદુઃખના પ્રસંગો ઉપસ્થિત થતા રહે છે. આવા પ્રસંગોમાં સામાન્ય મનુષ્ય સ્વસ્થ રહી શકતો નથી. તે તીવ્ર હર્ષ-શોક, રાગ-દ્વેષમાં ગૂંચવાઈ જાય છે.
ભાવનાઓનું ચિંતન નથી હોતું, આત્મા ભાવનાઓથી ભાવિત નથી હોતો, તો તે પ્રશમ-ઉપશમનો આનંદ પામી શકતો નથી.
શ્રમણ ભગવાન મહાવીરના ધર્મશાસનમાં જે અનેક જ્ઞાની શ્રતધર આચાર્ય ઉપાધ્યાય, મુનિરાજો થઈ ગયા, તેમાં પ્રથમ પંક્તિના જ્ઞાની આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી થઈ ગયા. તેમણે ૧૪૪જ ધર્મગ્રંથોની રચના કરી હતી. યાકિની મહત્તરા' નામનાં સાધ્વીજીનાં તે ધર્મપુત્ર હતા.
એમના જીવનમાં એક બહુ મોટી દુર્ઘટના થઈ હતી, તેથી તે ક્રોધથી... ષથી પાગલ જેવા બની ગયા હતા. વિદ્વાન્ હતા, શાસ્ત્રજ્ઞ હતા, છતાં પણ એક દુર્ઘટનાથી તે અતિવિહ્વળ, અતિચંચળ, અતિરોષાયમાન બની ગયા. એ દુર્ઘટના સંક્ષેપમાં જણાવું છું.
વિક્રમની આઠમી શતાબ્દીનો સમય હતો. આચાર્યશ્રી હરિભદ્રને બે ભાણેજ હતા. બંને રણવીર શૂરવીર હતા. યુદ્ધકલામાં પારંગત હતા. કોઈક નિમિત્તે બંને સંસારથી વિરક્ત બન્યા અને મામા હરિભદ્રસૂરિજીની પાસે ગયા. તેમણે આચાર્યદિવને કહ્યું: ‘ગુરુદેવ, અમે બંને સંસારથી વિરક્ત બન્યા છીએ.'
આચાર્યદેવે કહ્યું: ‘જો તમને મારા પ્રત્યે શ્રદ્ધા હોય તો વિધિપૂર્વક દીક્ષા લઈલો.” હંસ અને પરમહંસે દીક્ષા લઈ લીધી. બંને પ્રજ્ઞાવંત શિષ્યોને આચાર્યદિવે જેનાગમ ભણાવ્યાં. ન્યાયદર્શન અને વૈદિક દર્શન પણ ભણાવ્યાં. બૌદ્ધદર્શનનું અધ્યયન કરતાં કરતાં હંસ-પરમહંસના મનમાં વિચાર આવ્યો કે બૌદ્ધશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવા બૌદ્ધ આશ્રમમાં જઈને બૌદ્ધાચાર્ય પાસેથી અધ્યયન કરીએ. બંને જણાએ પોતાની ઈચ્છા ગુરુદેવ સમક્ષ રજૂ કરી.
ગુરુદેવે શિષ્યોની ઈચ્છા જાણ્યા બાદ પોતાના જ્ઞાનના પ્રકાશમાં બંનેનું ભવિષ્ય જોયું. તેમણે કહ્યું: ‘વત્સો ત્યાં બૌદ્ધ મઠમાં જવામાં મને તમારું ભવિષ્ય સારું લાગતું, નથી. એટલા માટે તમે ત્યાં જવાનું માંડી વાળો. અહીં બીજા પણ આચાર્ય છે, વિદ્વાનું છે, બૌદ્ધદર્શનના જ્ઞાતા છે, તમે એમની પાસે અધ્યયન કરી શકો છો.'
હંસે કહ્યું: ‘ગુરુદેવ અમારી ઇચ્છા તો બૌદ્ધ આચાર્ય પાસેથી જ બૌદ્ધમતનું અધ્યયન કરવાની છે.’
ગુરુદેવે કહ્યું: “જે કુલીન શિષ્ય હોય છે તે ગુરુદેવને છોડીને નિરુપદ્રવી માર્ગ ઉપર પણ જતો નથી. તો પછી જે માર્ગ ઉપર ભારે ઉપદ્રવ હોય એવા માર્ગ ઉપર કેવી રીતે જઈ શકો? હું તમને બંનેને બૌદ્ધ મઠમાં જવાની અનુમતિ આપતો નથી.” - ૧૬
પ્રસ્તાવના