________________
स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः । न च सुखं कृशमप्युना विना, जगति मोहविषाद - विषाकुले ॥
ઉપાધ્યાયજી કહે છે : ‘ભલે ને તમે વિદ્વાન્ હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ જો તમે ભાવનાઓમાં રમમાણ ન હો, ભાવનાઓથી ભાવિત ન હો, તો તમારા મનમાં શાન્તસુધાનો, ઉપશમરસનો આસ્વાદ તમે નહીં કરી શકો. મોહિવષાદથી ભર્યોભર્યો છે આ સંસાર. તેમાં તમે રજમાત્ર પણ સુખ પામી નહીં શકો:’
ઉપાધ્યાયજીએ વિદ્વાનોને, પંડિતોને લક્ષ્ય બનાવીને આ વાત કરી છે. તેમણે પંડિતોને પણ તીવ્ર રાગ-દ્વેષમાં વ્યાકુળ, અશાંત અને સંતપ્ત જોયા હશે. અરે, આટલાં હજારો શાસ્ત્રો વાંચ્યા પછી, ભણ્યા-ભણાવ્યા પછી પણ આ પંડિતો-વિદ્વાનો શા માટે શોકવિહ્વળ છે ? શા માટે શોકસંતપ્ત, દુઃખી છે ? શા માટે રુદન કરે છે ?
આવો પ્રશ્ન એમના મનમાં ઉદ્ભવ્યો હશે. પ્રશ્નનું સમાધાન એમણે શોધી કાઢ્યું કે જેઓ ભાવનાઓથી પોતાના મનને ભાવિત કરતા નથી, તેઓ વિદ્વાન્ હોવા છતાં પણ રાગ-દ્વેષમાં ફસાઈ જાય છે. અશાન્તિ અને ઉદ્વેગથી ભરાઈ જાય છે. કારણ કે સંસાર તો મોહ-અજ્ઞાનના ઝેરથી પૂરેપૂરો ભરેલો પડ્યો છે જ. આવા સંસારમાં ભાવનાઓનાં ચિંતન વગર સુખનો અંશ પણ મળવો શક્ય નથી. શાન્તિની એક ક્ષણ પણ મળવી સંભવ નથી.
ઉપાધ્યાયજી મહારાજે ‘અનિત્ય’ આદિ ભાવનાઓના વિષયમાં અને મૈત્રી’ આદિ ચાર ભાવનાઓના વિષયમાં આ ગ્રંથ ‘શાન્તસુધારસ’ લખેલો છે. દરેક મનુષ્યના જીવનમાં ભાવનાઓનાં ચિંતનની અનિવાર્યતા પ્રતિપાદિત કરતાં તેઓ આ વાત કરી રહ્યા છે. વિદ્વાન્ માણસો પણ ભાવનાઓ વગર સુખ અને શાન્તિ પામી શક્યા નથી, પામી શકતા નથી; તો પછી જેઓ શાસ્ત્રજ્ઞ નથી, વિદ્વાન્ નથી, તેમને સુખશાન્તિ કેવી રીતે મળી શકે ?
બુધ હોય યા અબુધ, ધનવાન હોય કે નિર્ધન હોય, પ્રાજ્ઞ કે અજ્ઞ, પણ ભીતરની શાન્તિ તેને જ મળે છે કે જે પ્રતિદિન ભાવનાઓનું ચિંતન કરતો રહે છે. હર પ્રસંગ, હર પળ, હર ઘટના ૫૨, ભાવનાઓની દૃષ્ટિથી જે લોકો જુએ છે, વિચારે છે, તે કદી અશાન્ત અને ઉદ્વિગ્ન થતા નથી.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિ અતિ વ્યાકુળ કેમ બન્યા ? :
ઉપાધ્યાયજીની એક વાત સદાય યાદ રાખવી - જ્ઞાતિ મોહવિષાવિષાળુછે | આ દુનિયા મોહવિષાદના ઝેરથી વ્યાપ્ત છે. દુનિયામાં સર્વત્ર મોહવિષાદનું ઝેર ફેલાયેલું છે, અને જીવોનાં પોતપોતાનાં પાપકર્મો હોય છે. કર્મોના ઉદય અનુસાર
શાન્તસુધારસ : ભાગ ૧
૧૫