________________
સમજે છે. એની સાથે એનું મન લાગતું જ નથી. એક વાર આત્મજ્ઞાનમાં મગનતાનો પૂરો - અપૂર્વ અનુભવ થતાં પુદ્ગલ-રચનાઓમાં મન લાગતું જ નથી. એ સુખનું વર્ણન શબ્દાતીત છે - શબ્દો દ્વારા વર્ણવવું અશક્ય છે. ‘જ્ઞાનસારમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે ઃ
ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तुं नैव शक्यते । જ્ઞાનમગ્ન આત્માનું સુખ, શબ્દોમાં કહી શકાતું નથી. સમત્વની સાથે એકત્વનું ચિંતન :
યાદ રાખો, આપણી વાત ‘એકત્વ ભાવના'ની ચાલી રહી છે. ભીતરમાં એકત્વનો ઉત્સવ મનાવવાનો છે. ઉત્સવનો પરમાનંદ પામવાનો છે. તો એકત્વની સાથે સમત્વને જોડવાનું છે. એકત્વની સાથે સમત્વ જોડાય છે, ત્યારે ભીતર ઉત્સવ આવે છે. ઉત્સવનો આનંદ પ્રકટ થાય છે. એકત્વની સાથે સમત્વ જોડાતાં ‘આ શત્રુ, આ મિત્ર,’ એવો ભેદ રહેતો નથી - ‘આ કંચન, આ કથીર' એવો ભેદ પણ રહેતો નથી. શત્રુ ઉપર દ્વેષ રહેતો નથી. મિત્ર ઉપર રાગ રહેતો નથી. કંચન પર રાગ રહેતો નથી. કથી૨ ૫૨ દ્વેષ રહેતો નથી, ત્યારે એકત્વ ઉત્સવરૂપ બનીને આત્માનંદરૂપ બની જાય છે.
एकता समतोपेता - मेनात्मात्मन् विभावय ।
लभस्व परमानन्द - सम्पदं नमिराजवत् ॥५॥
ગ્રંથકાર કહે છે ઃ આત્મન્, સમત્વભાવની સાથે તું એકત્વભાવની અનુભૂતિ કર. એમ કરતાં તું ‘નિમરાજર્ષિ'ની જેમ પરમાનન્દનો ખજાનો પ્રાપ્ત કરી શકીશ. ‘અધ્યાત્મગીતામાં શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે :
તેહ સમતારસ તત્ત્વ, નિશ્વલાનંદ અનુભવ આરાધે, તીવ્ર ઘનઘાતી નિજકર્મ તોડે, સંધિ પડિલેહીને વિછોડે.
એ જ આત્મા સમત્વની સિદ્ધિ પામે છે અને આનંદનો અનુભવ કરે છે, જે મોહનીય આદિ ઘાતીકર્મોને તોડવાનો પુરુષાર્થ કરે છે. અવસર પામીને કર્મોને તોડી શકે છે. કર્મોનો ક્ષય-ક્ષયોપશમ કરી શકે છે.
નમિરાજર્ષિ : સમત્વ-એકત્વનો ઉત્સવ :
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ ‘નમિરાજા’નું ઉદાહરણ આપ્યું છે. નમિાનવત્ - નમિરાજાની જેમ તું પણ પરમાનંદની પ્રાપ્તિ કર. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં શ્રમણ ભગવાન મહાવીરે સ્વયં નમિરાજાનું પૂરું એક અધ્યયન કહ્યું છે. ઇન્દ્ર અને
શાન્તસુધારસ : ભાગ ૧
૨૪૦