________________
- જે છાયા દેખાય છે, પ્રકાશ દેખાય છે, જે આકૃતિ દેખાય છે, તે બધું જ પુદ્ગલનો પર્યાય છે. પુદ્ગલનો ધર્મ છે. સડવું, પડવું અને નાશ થવો. - “સડન, પતન અને વિધ્વંસ' પુલની નિયતિ છે. જેમ કે બે પિંડ એકઠા થાય છે અને કાળક્રમે વિખરાઈ જાય છે. જેને જીવાત્મા પોતાની આંખોથી – ચર્મદ્રષ્ટિથી જુએ છે. એ પુદ્ગલ છે. આત્મા તો આંખોથી - ચર્મચક્ષુથી જોઈ શકાતો નથી.
જે વધે છે, ઘટે છે, જેનું પૂરણ-ગલન થાય છે - એ જેનો સ્વભાવ છે, તે પુદ્ગલ છે. એના અનંત પર્યાયો હોય છે અને એ પયયો કેવળ જ્ઞાની જ જાણી શકે છે.
પુગલ પરિવર્તનશીલ હોય છે. શુભનું અશુભ અને અશુભનું શુભ થાય છે. પુદ્ગલભાવ સ્થિર ન રહે, એટલા માટે એના ઉપર રાગદ્વેષ કરવાનો નથી. એને કારણે હર્ષ-શોક કરવાનો નથી. આત્મવિચાર : ચંદનવૃક્ષની શીતળ હવા :
પુદ્ગલ-રાગનું આવરણ દૂર થશે ત્યારે આત્મવિચાર પેદા થશે. ગ્રંથકાર ઉપાધ્યાયજીએ આત્મચિંતનને ચંદનવૃક્ષોની ઘટામાંથી આવતાં સુગંધિત શીતલ, પવન સમાન ગયું છે. જે પવનમાં ચંદનની સુવાસ હોય છે અને ચંદનવત્ શીતલતા હોય છે, તો ભીતરમાં જ પરમ આનંદની અનુભૂતિ થાય છે. “સમાધિશતક'માં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ
રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણખોજ.
ઘટ મેં ભી પ્રકટે તદા, ચિદાનંદ કી મોજ ! જો ભીતરમાં ચિદાનન્દ પામવો હોય તો આત્મચિંતન કરવું જ પડશે. આત્માન સહજ જ્ઞાનાદિ ગુણોનું ચિંતન કરવું જ પડશે અને પરમાર્થ વૃષ્ટિથી વિચારીએ તો માત્ર આત્મજ્ઞાન, આત્મબોધ જ મોક્ષમાર્ગ છે, શિવપંથ છે. ‘સમાધિશતક'ના પ્રારંભે જ કહ્યું છેઃ
કેવળ આત્મબોધ હૈ પરમારથ શિવપંથ,
તા મેં જિનકી મગનતા, સોઈ ભાવનિગ્રંથ. આત્મબોધમાં - આત્મજ્ઞાનમાં મગ્નતા જ ભાવસાધુતા છે. જો આત્મજ્ઞાનમાં મગનતા ન હોય તો ભાવસાધુતા ન આવે. ભલેને વ્રતોનું પાલન કરતા રહો, યા ઉગ્ર તપશ્ચર્યા કરતા રહો. જ્ઞાનમગનતા વગર ભાવસાધુતા હોઈ શકતી નથી.
આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ,
ઈન્દ્રજાલ કરી લેખને, મિલે ન તિહાં મનમેલ. આત્મજ્ઞાનમાં નિમગ્ન આત્મા, તમામ પુદ્ગલ નિર્મિત ખેલોને ઇન્દ્રજાલ - જાદુ
એકત્વ ભાવના