________________
એ રાગ-૨સ ? આ પુદ્ગલ-રાગને દૂર કરવાનો ભવ્ય પુરુષાર્થ આ જીવનમાં કરવાનો
છે.
લહી સંયોપશમ મતિજ્ઞાન કો, પંચેન્દ્રિય જળ લાધી, વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ધાર નરકગતિ સાધી, તાડન, મારન, છેદન-ભેદન, વેદના બહુવિધ પાયી, ક્ષેત્રવેદના પરમાધામીકૃત - વિધવિધ હૈ દરસાયી, પુદ્ગલ-રાગે નરક વેદના, વાર અનંતી વેદી,
પુણ્યસંયોગે નરભવ લાધો, અશુભ યુગલગત ભેદી.
વનસ્પતિકાયમાંથી બીજી એકેન્દ્રિય જાતિમાં જીવે જન્મ-મરણ કર્યાં છે. પૃથ્વીકાયમાં, અકાયમાં, વાયુકાયમાં, તેઉકાયમાં.... ! પછી બેઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચઉરિન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં જીવ આવ્યો છે. ઘણી મુશ્કેલીથી પંચેન્દ્રિયપણુ મળ્યું છે. પરંતુ યુગલ-રાગ'ને કારણે, વિષયાસક્તિને કારણે જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. નરકગતિમાં કેવાં કેવાં દુઃખો હોય છે ? ‘સંસાર ભાવના’ના પ્રવચનમાં તમે સાંભળ્યાં છે ને ? તાડન, મારણ, છેદન, ભેદન થઇ રહ્યું હોય છે. કેવી ઘોર વેદના ત્યાં જીવોને સહન કરવી પડતી હોય છે ? એનું કારણ હોય છે. પુદ્ગલ-રાગ !
જીવે નરકની વેદના એક-બે વાર સહન કરી છે, એમ ન સમજો. અનંત વાર સહન કરી છે - ‘વાર અનંતી વેદી.’
નરકમાં અનિચ્છાથી દુઃખ સહન કરવાથી જે કર્મનિર્જરા થાય છે એને ‘અકામ નિર્જરા' કહે છે. એ કર્મનિર્જરાને કારણે જીવની ઉન્નતિ થાય છે. એને મનુષ્ય-જન્મ મળે છે. નરકગતિ અને તિર્યંચગતિથી તે બહાર નીકળે છે. મનુષ્યગતિને દેવગતિ કરતાં વધારે સારી બતાવી છે. જિનેશ્વર ભગવંતોએ ! આવી સારી,શ્રેષ્ઠ મનુષ્યગતિ પામ્યા પછી શા માટે પુદ્ગલ-રાગી - વિષયરાગી બનીને મનુષ્યજીવનને બરબાદ કરો છો ?
વિષયાસક્ત રાગ પુદ્ગલ કો ધરી નરજન્મ ગમાવે, કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાવે.
અજ્ઞાની બ્રાહ્મણે કાગડો ઉડાડવા રત્નોને ફેંકી દીધાં હતાં ને ? પાછળથી જ્યારે તેને ખબર પડી કે મેં પથ્થર સમજીને રત્નોને ફેંકી દીધાં ! ત્યારે તેને ઘોર પસ્તાવો થયો હતો. એ રીતે પુદ્ગલ-રાગથી, વૈપિયક સુખના રાગથી મનુષ્ય-ભવ ગુમાવી દીધા પછી પસ્તાવો થાય છે.
બીજી વાત, પૌદ્ગલિક - વૈષયિક સુખ સદૈવ ગમે તેટલાં ભોગવો, તો પણ મન
એકત્વ ભાવના
૨૩૫