SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં પરદ્રવ્યનો પ્રવેશ : અનર્થનું મૂળ : પરભાવોથી, પરદ્રવ્યોથી મમત્વ કરવાનું પરિણામ તો આનાથીય વધારે ભયંકર આવે છે. અહીં તો પ્રેમ આહુજાની હત્યા થઈ ગઈ, એક માણસને જીવનથી હાથ ધોઈ નાખવા પડ્યા. પરંતુ પરદ્રવ્યોની સાથે કરેલા મમત્વથી તો હજારો જન્મ સુધી દુઃખ ભોગવવાં પડે છે. એટલા માટે પરદ્રવ્યના મમત્વથી સુખ મળે છે એવી કલ્પના થાય છે. એ કલ્પનાનો ત્યાગ કરી દો. પોતાના મનની સાક્ષીએ, દેવગુરુની સાક્ષીએ નિર્ણય કરી લો કે ‘હવે મારે મારા આત્મભાવમાં જ રહેવું છે. ૫દ્રવ્યોથી, પરભાવોથી મમત્વ બાંધવું નથી. જે મમત્વ બંધાઈ ગયું છે, તેને તોડવું છે.’ પદ્રવ્યો સાથે કરેલું મમત્વ પરસ્ત્રી સાથે કરેલા મમત્વ જેવું છે. જે સાચા અર્થમાં દુઃખદાયી હોય છે. રામકાલીન રાવણથી લઈને વર્તમાનકાલીન રાવણો સુધી જોઈ લો ! પરદ્રવ્યોથી મમત્વ કરનારાઓની દર્દભરી પીડાઓનો ઇતિહાસ - અસંખ્ય વર્ષોનો ચોપડો વાંચી લો. શાસ્ત્રો વાંચી લો. હું એકલો શુદ્ધ સ્વરૂપી આત્મા છું. હું જ્ઞાનમય, સુખમય, આનંદમય આત્મા છું. આત્મામાં જ સંતુષ્ટ રહેવાનું છે. આત્મા સિવાય કોઈ પણ બાબતની અપેક્ષા કરવાની નથી. એકત્વનો આવો નિર્ણય કરીને પ્રતિદિન એકત્વ ભાવના ભાવવાની છે. આજે બસ, આટલું જ. ૨૩૨ શાન્તસુધારસ : ભાગ ૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy