________________
ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થયો, તેનું નામ હતું પ્રેમ આહુજા. મુંબઈના નેપિયન્સ રોડ પર
જીવનજ્યોત’ નામના મકાનમાં તે માણસ રહેતો હતો. તે ૩૪ વર્ષનો અપરિણીત યુવાન હતો. તે યુનિવર્સલ મોટર્સ' કંપનીનો માલિક હતો અને વિલિસ જીપ’નો વિક્રેતા હતો. નાણાવટી દંપતી સાથે પ્રેમ આહુજાનો પરિચય થયો. નાણાવટીને આહુજાનો રંગીન સ્વભાવ પસંદ પડ્યો, દોસ્તી થઈ ગઈ, એકબીજાને ઘેર આવવાજવાનું શરૂ થઈ ગયું. નાણાવટીને ક્યાં ખબર હતી કે આહુજા એક દિવસે દોસ્તની પીઠમાં ખંજર હુલાવી દેશે?
પ્રેમ આહુજા સૌન્દર્યનો પ્રેમી હતો. કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વિયા પણ અતિસુંદર હતી. બંનેની વચ્ચે અનૈતિક પ્રેમનો સંબંધ બંધાઈ ગયો. એક વાર આહુજાએ પોતાની બહેનને કહી પણ દીધું કે નાણાવટી એની પત્નીને છૂટાછેડા આપી દે તો તે પોતે તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. જો કે સિલ્વિયા કમાન્ડરને તનમનથી ચાહતી હતી. પતિની સાથે બેવફાઈ કરવાની કલ્પના પણ તેના મનમાં ન હતી. બીજી બાજુ આહુજા સિલ્વિયાને છોડીને બીજું કશું વિચારી જ શકતો ન હતો. તે સિલ્વિયાને પોતાની બનાવવા તક શોધતો હતો.
એક દિવસ આહુજાને તક મળી ગઈ. કમાન્ડર નાણાવટી કેટલાક દિવસો માટે બહાર ગયા. સિલ્વિયા ઘરમાં એકલી હતી. આહુજાએ તેની સાથે અનૈતિક શારીરિક સંબંધ બાંધી લીધો. એક વાર અધઃપતનની ઊંડી ખીણમાં પડ્યા પછી તેને આહુજાની ઇચ્છાને વશ થવું પડતું હતું. તે મનોમન પ્રાર્થના કરતી હતી કે આ વાતની કમાન્ડરને ખબર ન પડે. પરંતુ આવી વાતો ક્યારેય ગુપ્ત રહી શકી છે? આખરે એક દિવસે કમાન્ડરને ખબર પડી જ ગઈ, તેણે સિલ્વિયાને પૂછ્યું. સિલ્વિયાએ આહુજા સાથેના પ્રણયનો એકરાર કર્યો. તે પછી તરત જ કમાન્ડર સીધા વહાણ ઉપર ગયા. સર્વિસ રિવોલ્વર અને ૬ કારતૂસ લઈને ત્યાંથી નીકળી ગયા. સીધા તે આહુજાને ઘેર પહોંચ્યા. આહુજા સ્નાન કરીને બહાર આવ્યો હતો તેવામાં જ તેની ઉપર નાણાવટીએ ગોળી ચલાવી દીધી. આહુજા જમીન ઉપર પડી ગયો. તેના મૃતદેહ પર ઘૂંકતાં નાણાવટી બોલ્યો - “દુમન જે કામ ન કરે તે કામ દોસ્ત કર્યું - તે ત્યાંથી સીધા પોલીસ સ્ટેશને ગયા અને કહી દીધું : “મેં પ્રેમ આહુજાની હત્યા કરી છે.'
નાણાવટીને દોષિત સાબિત કરવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા થઈ હતી. એ દિવસોમાં મુંબઈમાં આ કેસની ચર્ચા ઘેરઘેર થતી હતી. ઘણા બધા લોકો ઘરમાં બીજા પુરુષને આવવા દેવામાં અચકાતા હતા.
[
એકત્વ ભાવના
| ૨૩૧]
૨૩૧