________________
પરંતુ બે-ત્રણ કલાક પસાર થઈ ગયા પછી તે નિર્ભય બન્યો. એને રાણી યાદ આવી. “રાણીએ મને ઉપાડીને કૂવામાં ફેંકી દીધો, કેવી સ્વાર્થી અને નીચ સ્ત્રી છે? મારી આગળ કેવો પ્રેમ દેખાડ્યો? કેવી મીઠી મીઠી વાતો કરી? અને જ્યારે તેનો સ્વાર્થ પૂરો થયો અને મારી આવી કદર્થના -અવગણના કરી. અહીં હું જીવીશ કેવી રીતે? પરંતુ જો અહીંથી હું જીવતો રહીને કૂવાની બહાર નીકળીશ તો પછી કદીય પારકી સ્ત્રીને પ્રેમ નહીં કરું અને સામે પણ નહીં જોઉં.'
બીજે દિવસે સવારે રાણીની દાસીએ એ કૂવામાં ભોજનનાં પડીકાં બાંધીને નાખ્યાં. લલિતાગે પડીકાં છોડીને ખાઈ લીધું અને ખાડાનું ગંદુ પાણી પી લીધું. મરતો માણસ શું નથી કરતો?
આમ કેટલાક દિવસોમહિનાઓ વીતી ગયા, વરસાદના દિવસો આવ્યા. જોરથી પાણી વરસવા લાગ્યું. ખાડા-કૂવાઓ ભરાઈ ગયા. લલિતાંગ પાણીના પ્રવાહમાં વહેતો - તણાતો નગરની બહાર કિલ્લાની ખાઈમાં જઈ ચડ્યો. વહેતો વહેતો તે ખાઈને કિનારે પહોંચ્યો. બેહોશ થઈને પડ્યો હતો. એનું શરીર સડી ગયું હતું. ત્યાંથી પસાર થતી તેની ધાવમાતાએ એને જોયો. માતા તેને ઓળખી ગઈ. તરત જ તેણે લલિતાંગના પિતા સમુદ્રપ્રિયને જાણ કરી. રાત્રિના સમયે લલિતાંગને ઘોડાગાડીમાં નાખીને ઘેર લાવવામાં આવ્યો. વૈદ્યો પાસે તેનો ઔષધોપચાર પણ કરવામાં આવ્યો. છ માસની સુદીર્ઘ ચિકિત્સા પછી તે સ્વસ્થ થયો.
સંસારનાં ભ્રામક સુખોમાં ફસાયેલા તમામ મનુષ્યો લલિતાંગની જેમ વિષયોપભોગમાં ડૂબેલા રહે છે. વિષયસુખ રાણીના સંગનાં સમજવાં. આ સુખ શરૂઆતમાં મધુર લાગે છે. પરંતુ અંતમાં અતિભયંકર હોય છે. પરભાવોને પોતાના સમજીને મમત્વ બાંધવું કેટલું દુઃખદાયી હોય છે. એનું આ શાસ્ત્રીય ઉદાહરણ છે.
હવે કેટલાંક વર્ષ પૂર્વે મુંબઈમાં બનેલી એક ભયંકર ઘટના તમને સંભળાવું છું. કમાંડર નાણાવટી અને પ્રેમ આહુજાઃ
ઈ. સ. ૧૯૫૯ની આ ઘટના છે. ટ્રસ્ટોરીઝ ઓફ ફ્રેંજ મર્ડર્સ ઈન ઈન્ડિયા' નામના પુસ્તકમાં ક્રિમિનોલોજિસ્ટ ડૉ. એસ દત્તે આ કિસ્સો લખ્યો છે. કમાંડર કાસવજી નાણાવટી ભારતીય નૌકાદળમાં ન્યુક્લિયર સાયટિસ્ટના પદે નિયુક્ત I.N.S. માયસોર જહાજ ઉપર કેપ્ટન હતા. એક વાર જ્યારે તેઓ ઈગ્લેંડ ગયા ત્યાં સિલ્વિયા નામની એક ફ્રેન્ચ યુવતી સાથે તેમની મુલાકાત થઈ. ૧૯૪૯માં ઈગ્લેંડના પોર્ટસમાઉથ નામના શહેરમાં નાણાવટી અને સિલ્વિયાએ લગ્ન કરી લીધાં.
લગ્ન પછી ૧૦ વર્ષે ત્રણ સંતાનોનાં તેઓ માતાપિતા બન્યાં. લગ્નની ૧૦મી લગ્નતિથિ આવતાં પહેલાં જિંદગીનો એક ભયંકર વળાંક આવ્યો. એમના સંસારમાં
૨૩૦
રાન્તસુધારસ : ભાગ ૧
#
##
#