________________
લલિતાંગ છે. તે પુરુષ ૭૨ કલાઓમાં પ્રવીણ છે, હવે આપ કહો તેમ કરું.'
રાણીએ ધીરેથી દાસીના કાનમાં કહ્યું. દાસીએ કહ્યું - ‘હા, હા, જરૂર, હું એનું મિલન કરાવી આપીશ. પરંતુ એની પહેલાં તમે એને એક નિમંત્રણપત્ર લખીને મને આપી દો, હું એ પત્ર એને આપી દઈશ. એ પછી બધાં જ કામ પતાવીશ.'
રાણીએ પ્રેમપત્ર લખીને દાસીને આપ્યો. દાસીએ પત્ર લઈને લલિતાંગને આપ્યો. લલિતાંગ રાણીનો પ્રેમપત્ર જોઈને દિંગ થઈ ગયો ! તેણે દાસીને કહ્યું ઃ ‘ક્યાં અંતઃપુરમાં રહેનારી રાણી અને ક્યાં હું એક વણિકપુત્ર ? અમારું મિલન અશક્ય છે.’
દાસીએ કહ્યું ઃ ‘અશક્ય કશું જ નથી લલિતાંગ, હું બધું જ શક્ય કરી બતાવીશ. તું તૈયાર છે ને ?’ લલિતાંગે હા ભણી. દાસીએ મોકી મળતાં આવવાનું કહ્યું અને ચાલી ગઈ. એ પછી તો લલિતાંગ દિવસમાં ત્રણ વાર રાણીના મહેલ આગળ થઈને પસાર થાય છે અને રાણી એને જુએ છે. બંનેની નજરો મળે છે. બંનેનાં મુખકમળો ખીલી ઊઠે છે અને મૌન પ્રેમાલાપ થાય છે. એકબીજાને મળવા બંને જણાં બેચેન થતાં જાય છે.
નગરમાં કૌમુદીમહોત્સવના દિવસો આવ્યા. રાજાએ રાણીને કહ્યું : ‘ચાલો આપણે જંગલમાં શિકાર ખેલવા જઈએ.' રાણી તબિયતનું બહાનું કાઢીને મહેલમાં રહી ગઈ. એણે આ મોકાનો ફાયદો ઉઠાવવા દાસીને કહ્યું. અંતઃપુરના દરવાજે શસ્ત્રધારી પહેરેગીરો ચોવીસ કલાક હાજર રહેતા હતા. રાજા સિવાય કોઈ પણ આદમીને અંતઃપુરમાં પ્રવેશ મળતો ન હતો. દાસીએ લલિતાંગને મહેલમાં લાવવાની યોજના બનાવી.
:
નગર બહાર બગીચામાં એ એક પાલખી લઈને ગઈ. તેણે અંતઃપુરના રક્ષકને કહી રાખ્યું હતું ઃ ‘મહારાણીના આનંદપ્રમોદ માટે એક યક્ષની મૂર્તિ લેવા જાઉં છું. હમણાં જ લઈને પાછી આવું છું, પરંતુ એ મૂર્તિ રાણી સિવાય કોઈએ જોવાની નથી. બંધ પાલખીમાં લાવીશ.'
તેણે લલિતાંગને પાલખીમાં બેસાડી દીધો. તેની ઉપર લાલ વસ્ત્ર ઓઢાડી દીધું. પાલખીમાં ચારે બાજુ પડદા પાડી નાખ્યા. માણસોએ પાલખી ઉપાડી અને મહેલમાં લઈ આવ્યા. ન તો કોઈએ પાલખીને રોકી, કે ન તો કોઈએ ટોકી.
રાણી અને લલિતાંગ મળ્યાં. જાણે સ્વર્ગમાં મળી રહ્યાં હોય એવી ખુશી બંનેએ અનુભવી. બંને મનપસંદ કામક્રીડા કરવામાં ડૂબી ગયાં. દાસીને શયનખંડની બહાર મહેલના મુખ્ય દરવાજા તરફ નજર રાખવા ઊભી રાખવામાં આવી. આનંદપ્રમોદમાં ગળાડૂબ રાણીને સમયનો ખ્યાલ ન આવ્યો. દિવસનો ચોથો પ્રહર શરૂ
શાન્તસુધારસ : ભાગ ૧
૨૨૮