________________
एक एव भगवानयमात्मा ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेद् व्याकुलीकरणमेव, ममत्वम् ॥ १ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ ગ્રંથની ચોથી ભાવનાનો મંગલ પ્રારંભ કરતાં કહે છે - “આ આત્મા એક જ છે, આ જ પ્રભુ છે, આ જ ભગવાન છે, જ્ઞાનદર્શનના તરંગોમાં મસ્ત છે. એના સિવાય જે કંઈ છે, તે સર્વ મમત્વ-માત્ર છે. કલ્પનાનું વિશ્વ છે. આ મમત્વ વ્યાકુળતા વધારનાર છે.’
હું આત્મા
* ‘હું આત્મા છું.’
* હું વિશુદ્ઘ દ્રવ્યાત્મા છું, આત્મસત્તા છું.
* શુદ્ધ જ્ઞાન અને દર્શન મારાં છે - મારા ગુણ છે.
આજે આપણે આ આત્મતત્ત્વ ઉપર જચિંતન-મનન કરવાનું છે. જે આપણે પોતે છીએ એનું, સ્વયંનું, પોતાનું જ ચિંતન કરવાનું છે. ભાવનાના આલોકમાં એ આત્મદ્રવ્યને જોવાનું છે. આત્મસત્તાને નિહાળવાની છે. આજે તેનાં જ ગીત ગાવાનાં છે. બાકીનું બધું જ ભૂલીને... કલ્પનાના જગતને ભૂલીને આત્માની મસ્તીનો અનુભવ ક૨વાનો છે.
આત્મા સર્વ સમાન :
આતમ સર્વ સમાન, નિધાન મહા સુખકંદ, સિદ્ધ તણા સાધર્મી, સત્તાએ ગુણકંદ !
વિશુદ્ધ આત્મસત્તાની દૃષ્ટિએ સમગ્ર આત્મસૃષ્ટિ એક જ છે. જેવી સ્થિતિ સિદ્ધ ભગવંતોની છે એવી સ્થિતિ સર્વ આત્માઓની છે. આ રીતે જોતાં વિશુદ્ધ આત્મસત્તાની દૃષ્ટિથી આપણે સિદ્ધોના સાધર્મિક છીએ. તેમના જેવા જ છીએ. અનંત સુખમય, જ્ઞાનમય અને ગુણમય છીએ.
૨૨૨
હું વિશુદ્ધ આત્મા અનંત સુખમય છું. અનંત જ્ઞાનમય છું. હું અનંત ગુણમય
સત્તાથી સર્વ આત્માઓ એક સમાન છે.
આપણે સિદ્ધોના સાધર્મિક :
આપણી એક નવી ઓળખાણ કરી લો. ચૌદ રાજલોકની ઉપર જે ‘સિદ્ધશિલા
શાન્તસુધારસ ઃ ભાગ ૧