________________
છે ત્યાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત આત્માઓનું અવસ્થાન છે. જે પૂર્ણાનંદી છે, જે પૂર્ણ સુખી છે, પૂર્ણ જ્ઞાની છે, એ આપણા સાધર્મિક છે! આપણે પણ એમના જેવા જ છીએ. તે આપણા જેવા જ છે. એ જ આપણા સાધર્મિક કહેવાય છે કે જેમના ગુણ આપણા સમાન હોય છે. તેમનાં જ્ઞાન, સુખ, આનંદ આદિ ગુણ અનંત છે, આપણા પણ છે. તેમના પ્રકટ થયા છે જ્યારે આપણા પ્રચ્છન્ન છે. અસ્તિત્વ સત્તાની દ્રષ્ટિએ અર્થાત્ એમની આત્મસત્તા જેવી આપણી પણ છે. 1 કલ્પના કરો સિદ્ધશિલાની. . કલ્પના કરો વિશુદ્ધ આત્મસત્તાવાળા સિદ્ધ ભગવંતોની, અને એમને કહોઃ
હે સિદ્ધ ભગવંત, અમે આપના સાધર્મિક છીએ. અમે આપના જેવા જ છીએ. તો પછી અમને અહીં મધ્યલોકમાં કેમ રહેવા દીધા? અમને પણ આપના સિદ્ધ લોકમાં બોલાવી લો! અમારે ત્યાં આવવું છે, આપની સાથે રહેવું છે. હવે આ ૧૪ રાજલોકમાં પરિભ્રમણ કરવું નથી. કૃપા કરીને અમને આપની પાસે બોલાવી લો.’ આત્મા જ ભગવાન છે :
કેટલી ઉલ્લાસપ્રેરક, ઉત્સાહપ્રેરક વાત કરી છે ગ્રંથકારે!ાક પર્વ માવાનયાત્મા ! આ આત્મા જ એક ભગવાન છે, પ્રભુ છે. એટલે કે હું જે આત્મા છું, તે ભગવાન છું - સિદ્ધ છું, બુદ્ધ છું, પૂણનિંદી છું, પૂર્ણ જ્ઞાની છું, પૂર્ણ સુખી છું.
શુદ્ધ નયવૃષ્ટિથી આ ભાવના સદેવ ભાવવાની છે. એનાથી પાપોનો નાશ થાય છે અને આત્મસ્વરૂપ પ્રકટે છે.
દેહમન-વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે. અક્ષય, અકલંક જીવનું જ્ઞાન આનંદ સરૂપ રે.
ચેતન, જ્ઞાન અજવાળીએ. અમૃતવેલી કાવ્યમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ ઉપદેશ-પ્રેરણા આપી છે. મન, વચન, કાયાથી મુક્ત; કર્મોથી મુક્ત; આત્મસત્તાનું ચિંતન કરવું.
* હું મન સ્વરૂપ નથી, મન પૌદ્ગલિક છે, હું આત્મા છું. * હું વચન સ્વરૂપ નથી, વચન પૌદ્ગલિક છે, હું ચેતન છું. * હું શરીર સ્વરૂપ નથી. શરીર પૌદ્ગલિક છે, હું આત્મા છું. * હું જે આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છું કર્મોથી ભિન્ન છું. * હું જ્ઞાનાત્મા છું, સ્વગુણ ભોગી છું. આ રીતે સ્વગુણ ચિંતન કરતાં પોતાની વિશુદ્ધ આત્મસત્તા તરફ જોવાનું છે અને
એકત્વ ભાવના