________________
રાજન્, મારા તરફથી તને અભયદાન છે અને તું પણ અભયદાતા બન. આ જીવલોક - આ સંસાર અનિત્ય છે, તું શા માટે હિંસામાં પ્રવૃત્ત છે ?
सया सव्वं परिच्चज्ज, गंतव्वमवस्स ते 1 अणिच्चे जीवलोगम्मि, किं रज्जुंमि पसज्जसि ? ॥ હે રાજ, સર્વસ્વ છોડીને જીવને એક દિવસ તો જવું જ પડે છે. તારે પણ જવું પડશે. તો પછી આ અનિત્ય સંસારમાં રાજ્યનો મોહ શા માટે ?
जीविअं चेव रुवं च विज्जु संपाय चंचलं । जत्थं तं मुज्झसी रायं, पेच्चत्थं नावबुज्झसे ? ॥ રાજન્, આ જીવન.... આ રૂપ..... વીજળીના ઝબકારા જેવું માન, જેમાં તું મોહાસક્ત બન્યો છે, તું પરલોકનો વિચાર શા માટે નથી કરતો ?
दाराणि अ सुआ चेव मिंत्ताय तहा बंधवा । जीवंतमणुजीवंति मयं नाणुव्वयंति अ 11.
રાજન્, પત્ની, પુત્ર, મિત્ર અને બાંધવો એ સર્વ તું જીવતો છે ત્યાં સુધી જ છે; મૃત્યુ થતાં એ બધું સાથે નહીં આવે; તો પણ ‘એ મારાં સ્વજનો' એવું મમત્વ શા માટે?
निहरंति मयं पुत्ता, पिअरं परमदुक्खि आ पिअरोऽवि तापुत्ते बंधूरायं तवंचरे
રાજન્, સંસારની કેવી અસારતા છે ? મૃત પિતાને પુત્ર ઘરમાંથી બહાર કાઢી મૂકે છે અને પિતા પણ મૃત પુત્ર, મૃત બંધુ વગેરેને ઘરની બહાર કાઢી મૂકે છે. એટલા માટે રાજન્, તપશ્ચર્યા કર, સંયમ ગ્રહણ કર.
तओ तेणऽज्जिए दव्वे दारे अपरिरक्खिए । कीलतन्नेवरा रायं हठ्ठट्ठा अलंकिया
॥
રાજન્, ધનાર્જન કરનાર મનુષ્યનું મૃત્યુ થતાં બીજા લોકો એ ધનથી અને સ્ત્રી વગેરેથી મોજમજા કરે છે; શરીરને સજાવીને, ખૂબ પ્રસન્ન થઈને જીવે છે.
++--+
तेणावि जं कयं कम्मं सुहं वा जइ वाऽसुहं । कम्मुणा तेण संजुत्तो गच्छइ उ परं भवं ॥ મરનાર જીવ હે રાજન્ ! જે શુભાશુભ કર્મ કરે છે, એ કર્મોની સાથે તે જીવ પરલોક જાય છે, એટલા માટે હે રાજનૢ, તપ અને સંયમ ગ્રહણ કરવાં જોઈએ. મહામુનિ પાસેથી આ પ્રમાણે જિનવચનો સાંભળીને સંજય રાજા સંસાર પ્રત્યે
શાન્તસુધારસ : ભાગ ૧
૨૧૪