________________
તનાવગ્રસ્ત યોદ્ધાએ ચિંતાનું પૃથકકરણ કર્યું છે અને કહ્યું છેઃ - ૩૦ ટકા ચિંતાઓ એવી હોય છે કે જે અપરિવર્તનીય હોય છે. જેમનો નિર્ણય
થઈ ગયો હોય છે. - ૧૨ ટકા ચિંતાઓ બીજાએ આપણા માટે જે ટીકાઓ કરી હોય છે, તે વિષયની
હોય છે. એમાંની ઘણીખરી ટીકાઓ સાચી હોતી નથી. - ૪૦ ટકા ચિંતાઓ ભવિષ્ય સંબંધી હોય છે, જે નિરર્થક હોય છે. - માત્ર ૮ ટકા ટીકાઓ જ સાચી હોય છે. જેમનો પ્રતિકાર યોગ્ય સમયે આપણે
કરી શકીએ. ચિંતાઓ આપણો કેડો મૂકતી નથી. આ પણ એક પ્રકારે બ્લેક મેઈલ' જ છે. વર્તમાનકાળના મનુષ્યને, પૂર્વકાલીન મનુષ્યની અપેક્ષાએ વધારે ચિંતાઓ રહે છે. પૂર્વકાલીન મનુષ્ય જ્યારે એક ગામમાંથી બીજે ગામ જતો ત્યારે જંગલી જનાવરોનો ભય રહેતો હતો. આજ મનુષ્યને હાઈવે પર ટ્રકની બીક લાગે છે. ચિંતા નામની ડાકણ મનુષ્યને નિદ્રામાં પણ સતાવે છે. એટલા માટે જ સ્લીપિંગ ટેબ્લેટની-ઊંઘની ગોળી શોધ થઈ છે ને?
સંસારમાં મનુષ્યને એક યા બીજા પ્રકારની ચિંતા રહે જ છે. જ્યાં સુધી ઇચ્છાઓ, કામનાઓ, અભિલાષાઓ હોય છે ત્યાં સુધી ચિંતાઓ રહે જ છે - રહેશે. જ. અને એક દિવસે જાદુગરની જેમ મહાકાલ જીવને ઊંચકીને લઈ જશે. '
મહાકાળને ગ્રંથકારે ‘જાદુગર' કહ્યો છે. જેવી રીતે જાદુગર મહાજાળ ફેલાવે છે, એવી જ રીતે આ સંસાર પણ માયાજાળ જ છે. એક ક્ષણમાં માયાજાળને સમેટીને મહાકાલ જીવને ઉઠાવી જાય છે. તમામ શૂન્યમય બની જાય છે. જિનવચનો - સાચો સહારોઃ
સંસારનું આ રીતે ચિંતન કરતા રહેવાનું છે. નિસારતા, અસારતા, ક્ષણિકતાનું વારંવાર ચિંતન કરતાં જ્યારે સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે, વિરક્તિ આવે ત્યારે જિનવચનો જ જીવને આંતરિક શક્તિ આપે છે, સંસાર-પરિભ્રમણના ભયને દૂર કરે છે. જિનવચનોના સહારે જ જીવ સંસારનાં દુલ્મોથી બચવા આશ્વાસન પામે છે - વિશ્વાસ પામે છે.
આમ તો સંસારની હિંસાદિ પાપોની આસક્તિ પણ જિનવચનોથી જ તૂટે છે. મોહાસક્ત અને પાપાસક્ત જીવોને ભાગ્યવશ જિનવચને સાંભળવા મળે છે, તો તે જીવો મોહરહિત- પાપરહિત બને છે.
૨૧૨
શાન્ત સુધારસઃ ભાગ ૧|