SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પડે છે. એવા દુખપૂર્ણ સંસારનું પરિભ્રમણ મટાડવું હોય તો પાપત્યાગનો પુરુષાર્થ કરવો પડશે. પાપોનો ત્યાગ કરવો જ પડશે. આ મનુષ્યભવમાં જ પાપત્યાગનો પુરુષાર્થ થઈ શકશે. જિનેશ્વર ભગવંતોએ ૧૮ પ્રકારનાં પાપ બતાવ્યાં છે. કદાચ તમે લોકો જાણતા હશો આ પાપોને, તો પણ નામનિર્દેશ કરું છું ૧. હિંસા ૭. માન ૧૩. અભ્યાખ્યાન ૨. મૃષાવાદ ૮. માયા ૧૪. પૈશુન્ય (ચાડી-ચુગલી) ૩. ચોરી ૯. લોભ ૧૫. રતિ અરતિ ૪. મૈથુન ૧૦. રાગ ૧૬. પર-પરિવાદ નિંદા) પ. પરિગ્રહ ૧૧. ષ ૧૭. માયા-મૃષાવાદ(દંભયુક્ત જૂઠ) ૬. કોંધ ૧૨. કલહ ૧૮. મિથ્યાત્વશલ્ય આ અઢાર પાપો છે. સંસાર-પરિભ્રમણનાં કારણભૂત તત્ત્વો આ અઢાર પાપો જ છે, એટલા માટે આ પાપોનો ત્યાગ કરવો અનિવાર્ય છે - જો સંસારમાંથી મુક્તિ ઈચ્છતા હો તો. મોહમદિરાથી બુદ્ધિભ્રષ્ટતાઃ પરંતુ સદેવ મોહમદિરાનું પાન કરનારા જીવોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવા જીવોને તો સંસારમાં ભટકાવાનું જ છે. સંસારની ચારે ગતિઓમાં જન્મ-મરણ કરવાનાં જ છે. બુદ્ધિભ્રષ્ટ લોકોને તો સંસારની અસારતા સમજાવવી અસંભવ છે. એ લોકો સંસારરસિક હોય છે. તેમને તો વૈષયિક સુખ જ પ્રિય લાગે છે. આત્મા - આત્મસુખ - મોક્ષ - મોક્ષસુખની વાતો એમને પ્રિય નથી લાગતી. એમને તો આ બધી વાતો સાથે કોઈ જ લેવાદેવા હોતું નથી. મોહાલ્વ, બુદ્ધિભ્રષ્ટ લોકોને પાપનો ભય હોતો નથી. તેમને તો દુઃખોનો ભય હોય છે. એમને દુઃખ જોઈતાં નથી, પરંતુ એ લોકો દુઃખોથી બચી શકતા નથી. તેમને તો દુઃખ ભોગવવાં જ પડે છે. તેઓ સંસારની દુર્ગતિમાં જન્મ-મરણ કરતા જ રહે છે. મહાકાલ જાદુગર છે: આવા મોહમદિરાના વ્યસનમાં બુદ્ધિભ્રષ્ટ લોકો સંસારમાં અનેક પ્રકારની ચિન્તાની જ્વાળાઓમાં બળતા રહે છે. સતત ચિંતા કરનાર માણસ એક યોદ્ધા કરતાં પણ વધારે તનાવ અનુભવે છે. યુદ્ધમાં લડનાર લડવૈયો (warrior) કહેવાય છે. જ્યારે ચિંતા - વરિ’ - કરનાર વરિયર (worrier) કહેવાય છે. આવા એક 1. સંસાર ભાવના ૨૧૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy