________________
ચતુરિન્દ્રિયનું. તો વળી કોઈ વાર પંચેન્દ્રિયનું રૂપ ધારણ કરવું પડ્યું અને ઘોર દુઃખો સહન કરીને સુખોપભોગ કર્યો. કોઈ વાર નરકમાં નારકી બનીને ઘોર દુઃખ સહ્યાં... કોઈ વાર પશુપક્ષી બનીને ત્રાસ સહન કર્યા, તો કોઈ વાર મનુષ્યનાં વિવિધ રૂપ ધારણ કર્યા!
न सा जाइ, न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ सव्वे जीवा अनन्तसो ॥ એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વ જીવો અનંત વાર જમ્યા ન હોય અને મર્યા ન હોય !
સંસાર એક રંગમંચ છે, એના ઉપર જીવો સદેવ અભિનય કરે છે. કર્મ છે ડાયરેક્ટર દિગ્દર્શક! કર્મ જે રીતે નચાવે એ રીતે જીવ નાચે છે. કોઈ વાર પુત્રનું રૂપ લઈને નાચે છે તો કોઈ વાર ભાઈનું રૂપ લઈને, કોઈ વાર તે પિતા યા શત્રનું રૂપ ધારણ કરે છે, તો કોઈ વાર માતાનું, પત્નીનું કોઈ વાર બહેનનું તો કોઈક વાર પુત્રીનું રૂપ લઈને સંસારના રંગમંચ ઉપર નાચે છે, અભિનય કરે છે. આપણે બધા નર છીએ - અભિનેતાઓ છીએ. અનંતકાળથી અભિનય કરતા આવ્યા છીએ. ક્યારે એનો અંત આવશે તેનો આપણને ખ્યાલ નથી.
ક્યારે તો વિચારો કે આ ભવનાટકમાં નાચવાનો અંત આવશે? નાચતાં નાચતાં થાકી ગયા ! હવે નાચવું નથી આ સંસારનાં રંગમંચ ઉપર ! આ વર્તમાન મનુષ્ય જીવનમાં કેવાં કેવાં રૂપો ધારણ કરીને નાચીએ છીએ? બચપણ... યૌવન... વૃદ્ધાવસ્થા.. કેવી રીતે વ્યતીત થાય છે? કેવાં કેવાં રૂપ બતાવવાં પડે છે? આખરે તો મૃત્યુ !! મૃત્યુ પણ એક પ્રકારનું રૂપ જ છે. મૃત્યુ બાદ નવો જન્મ લેવો પડશે! ખબર નથી, કઈ ગતિમાં જન્મ ધારણ કરવો પડશે?
આ સંસાર-પરિભ્રમણથી મન ઉદ્વિગ્ન થવું જોઈએ. સંસાર-પરિભ્રમણના મુખ્ય હેતુ છે વિષય અને કષાય !! વિષય-કષાયોનો પ્રતિક્ષણ શત્રુ સમજો, મિત્ર નહીં. વિષય-કષાયોનો સાથ ન લો, સહારો ન લો. સહારો લેવો હોય તો માત્ર દેવ, ગુરુ અને ધર્મનો; અને તો જ સંસાર-પરિભ્રમણનો અંત આવશે. સંસારની ભયાનકતાનું સંવેદન થવું જોઈએ. એટલા માટે તમે લોકો “સમરાદિત્ય મહાકથા અવશ્ય વાંચો.
આ રીતે આજ તૃતીય સંસાર ભાવનાની ચારગાથાઓ (કાવ્યો)નું વિવેચન કર્યું. શેષ ચાર ગાથાઓનું વિવેચન કાલે કરીશ.
આજે બસ, આટલું જ
.
(
૨૦૮
શાન્તસુધારસ : ભાગ ૧ |