SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સંપત્તિમાં ગર્વ, દરિદ્રતામાં દીન-હીન: પાંચમી વાત છે ગર્વની અને દીનતા-હીનતાની. સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધનવાન નિધન થઈ જાય છે અને નિર્ધન ધનવાન બની જાય છે. ધનવાન જ્યારે નિર્ધન બની જાય છે ત્યારે તે દીન-હીન બની જાય છે. નિર્ધન જ્યારે ધનપતિ બની જાય છે, ત્યારે અભિમાની બની જાય છે. અભિમાની ધનવાનોને આપણે જોઈએ જ છીએ ને? એ લોકો જમીનથી અદ્ધર ચાલે છે. એ લોકો ન તો માતાપિતાની ઈજજત કરે છે, કે ન તો ગુરુજનોની આજ્ઞા માને છે. ઉપકારીજનોનો પણ તિરસ્કાર કરી બેસે છે. એટલું જ નહીં, ધનવાનોને સર્વ પ્રકારનાં સુખ હોય છે એવું ન માનતા. એમને પણ અસંખ્ય પ્રકારની ચિંતાઓ સતાવતી હોય છે. ધનસંપત્તિની રક્ષાની ચિંતા સૌથી મોટી ચિંતા છે. પારિવારિક ચિંતા પણ સતાવતી રહે છે. શરીર પણ કોઈ ને કોઈ રોગથી ઘેરાયેલું રહે છે. એટલા માટે તે લોકો અંદરથી પોતાને દુઃખી માને છે. કર્મપરવશતા : સંસારની તમામ પરેશાનીઓનું મૂળ છે - કર્મપરવશતા !! ચારે ગતિઓમાં જીવોની કેવી પરવશતા હોય છે, એ વાતનું ચિંતન કરવું જોઈએ. કમની પરાધીનતા, પરવશતા ખૂબ દુખદાયી હોય છે. જીવાત્માની ઇચ્છાઓને, અભિલાષાઓને કોણ પૂર્ણ થવા નથી દેતું? જીવાત્માને પોતાની ઈચ્છાઓથી વિપરીત જીવવું પડે છે, એ કોને કારણે? કર્મસત્તા એવી અદ્ગશ્ય સત્તા છે કે એણે સમગ્ર સંસાર ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું છે. એના આધિપત્યને કોઈ પણ નષ્ટ કરી શકે તેમ નથી. હા, જે જીવાત્મા પ્રબુદ્ધ બને છે અને કર્મોનાં બંધનો તોડે છે - તોડવા માટે કૃતનિશ્ચયી બને છે, તે સ્વાધીન-સ્વતંત્ર બની શકે છે. જે દુખોથી ડરતો નથી અને કર્મજન્ય સુખોથી લલચાતો નથી, તે જ કમને તોડી શકે છે - કર્મબંધનોમાંથી મુક્ત થઈ શકે છે! કર્મદા સુખોનો જે ત્યાગ કરી દે છે અને કર્મજન્ય દુઃખોનો પ્રતિકાર કર્યા વગર, સમતાભાવથી સહન કરે છે, તે આત્મા સ્વાધીન બની શકે છે. પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. જનમ-જનમે નવાં-નવાં રૂપઃ ચાર ગતિઓમાં જીવોને કેવાં કેવાં અવનવાં રૂપો ધારણ કરવાં પડે છે, તે જાણો છોને? દરરોજ અથવા કોઈ કોઈ વાર યાદ કરવાં જોઈએ એ રૂપ! કોઈ વાર પૃથ્વીનું રૂપ. કોઈ વાર પાણીનું, કોઈ વાર અગ્નિનું, તો કોઈક વાર વાયુનું રૂપ - વનસ્પતિનું રૂપ....કોઈ વાર બેઈન્દ્રિય જીવોનું રૂપ. કોઈ વાર તેઈન્દ્રિયનું. તો કોઈક વાર સંસાર ભાવના ૨૦૭ |
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy