________________
- કોઈને દુષ્ટ, વ્યસની, દુરાચારી, મહાપાપી લોકો સાથે પનારો પડે છે.
આવા લોકોને ડગલે ને પગલે પરેશાની રહે છે ને? પરાભવ થતો જ જાય છે ને? જેને અનેક પત્નીઓ હોય છે, એમના ઘરમાં દરરોજ ઝઘડો થતો જ હોય છે ને? કોઈને અતિદુષ્ટ, વ્યભિચારિણી, ક્લેશ કરનારી, મહારોગી સ્ત્રી મળી હોય છે તે મહાદુઃખી હોય છે. - કોઈ પુરુષ પોતાની સુશીલ અને પ્રિય પત્નીના અચાનક મોતથી પરેશાન થાય
- કેટલાક પુરુષોની પરેશાની ત્યારે વધી જાય છે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને
તેની વૃદ્ધાવસ્થામાં અથવા નિધન અવસ્થામાં નાનાં નાનાં બાળકોને મૂકીને પત્ની મરી જાય છે. - કેટલાક પુરુષો લગ્ન પછી તરત જ મરી જાય છે અને તેની પત્નીને લાંબા સમય
સુધી પરેશાની - પરાભવ ભોગવવો પડે છે.. - માતાપિતાની વૃદ્ધાવસ્થામાં આધારભૂત પુત્ર અચાનક મરી જાય છે. - કોઈને પુત્ર તો હોય છે પરંતુ ચોર હોય છે, જુગારી હોય છે, શરાબી હોય છે,
તેથી એનાં માતાપિતાને પરેશાનીની સીમા રહેતી નથી. - એક તો નિર્ધનતાનું મહાદુઃખ હોય છે, તો બીજી બાજુ એને દીકરીઓ હોય છે.
પુત્રીઓનાં લગ્ન, સંરક્ષણ આદિની ચિંતા સતાવે છે. - પુત્રી મોટી થવા છતાં તેનાં લગ્ન નથી થતાં, લગ્ન થાય છે તો વર મૂર્ખ, દુરાચારી
અથવા ઉગ્ર સ્વભાવનો હોય છે, ત્યારે છોકરી અને તેનાં માતાપિતાને સદેવ ચિંતા - પરેશાની રહે છે. • - કોઈને દીકરી અપંગ, અંધ અથવા મૂગી હોય છે, તેને વર નથી મળતો તો ખૂબ
જ ચિંતા રહે છે. - કોઈની માતા, પત્ની અથવા પુત્રી-બહેન ખોટા માર્ગે જાય છે, વ્યભિચારિણી બને
છે તો ઘોર ચિંતાનું કારણ ઊભું થાય છે. - કોઈને લોભી, દોષગ્રાહી, અન્યાયી, ક્રોધી, નીચ અને મૂર્ખ શ્રીમંતની સેવા
નોકરી કરવી પડે છે. તેને ડગલે-પગલે પરાભવ-અપમાન સહન કરવો પડે છે. – એ જ રીતે કોઈ શેઠને તબી, મૂર્ખ, અપ્રામાણિક નોકર - સેવક હોય તો એને
પણ વારંવાર પરેશાની ભોગવવી પડે છે. – આ રીતે અસંખ્ય પ્રકારની પરેશાનીઓ સંસારમાં જીવોને ભોગવવી પડે છે.
આવા સંસારમાં શાન્તિ ક્યાંથી? સમતા ક્યાંથી?
| ૨૦
| શાન્ત સુધારસઃ ભાગ ૧]