________________
પ્રશ્નઃ માનસિક દુઃખ અલ્પ જ હોય છે ને?
ઉત્તર શારીરિક દુઃખ કરતાં માનસિક દુઃખ વધારે હોય છે. અત્યંત તીવ્ર હોય છે. મનુષ્યની પાસે ખૂબ પ્રમાણમાં વૈષયિક સુખનાં સાધનો હોવા છતાં પણ જો માનસિક દુઃખ થાય તો તે પોતાની જાતને ખૂબ જ દુઃખી માને છે. મન ચિંતાગ્રસ્ત થતાં તમામ સુખસામગ્રી દુઃખરૂપ જ લાગે છે. દુઃખનું જ કારણ બને છે.
વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો અન્ય નિમિત્તથી માનવામાં આવેલું સુખ સુખાભાસ જ છે – ભ્રમ જ હોય છે. કારણ કે જે વસ્તુને સુખનું કારણ માનવામાં આવે છે તે જ વસ્તુ કાળાન્તરે દુઃખનું કારણ બને છે. આ રીતે અસાર અને ભયાનક સંસારમાં ક્યાંય સુખ નથી. તમામ સંબંધો નકામા છે :
આમ તો સંસારનો કોઈ જ સંબંધ - નાતો શાશ્વતું નથી. બધા જ સંબંધો બદલાતા રહે છે. એક જન્મની માતા બીજા જન્મમાં પુત્રી બને છે, બહેન બને છે યા પત્ની બને છે. પિતા મરીને પુત્ર બને છે, શત્રુ બને છે, ભાઈ બને છે. પત્ની માટીને શત્રુ બને - પતિ પણ બની શકે છે.
સમરાદિત્ય મહાકથામાં નવ-નવ ભવોની કથા વાંચજો કે સ્નેહસંબંધો કેવા બદલાય છે. તે તમને ખબર હશે. અરે, એક જ - વર્તમાન જીવનમાં એક મનુષ્યના ૧૮ પ્રકારના સંબંધોની વાર્તા વાંચવા મળે છે. મેં જે રીતે વાર્તા વાંચી છે તે સમજાવું
અઢાર સંબંધોઃ
મથુરા નામની એક નગરી હતી. એમાં કુબેરસેના નામની એક વેશ્યા રહેતી હતી. કુબેરસેનાએ એક પુત્ર અને પુત્રીનાં જોડકાંને જન્મ આપ્યો. પુત્રનું નામ રાખવામાં આવ્યું કુબેરદત્ત અને પુત્રીનું નામ રાખ્યું કુબેરદત્તા. | દશ દિવસ સુધી કુબેરસેનાએ એ બંનેને સ્તનપાન કરાવ્યું, પછી એક મજબૂત પેટીમાં ગાદી પાથરીને તેમને પેટીમાં સુવાડી દીધાં. બંનેની પાસે એમના નામની સોનાની વીંટી બનાવીને મૂકી દીધી. પેટી બંધ કરીને યમુનાના પાણીમાં વહેતી કરી દીધી. પેટી વહેતી વહેતી શોરીપુરી નગરના કિનારે પહોંચી.
સવારનો સમય હતો. શોરીપુરીના બે યુવાન શ્રેષ્ઠીઓ ફરવા માટે યમુના નદીના કિનારે આવ્યા હતા. તેમણે નદીના પ્રવાહમાં વહેતી રત્નજડિત કીમતી પેટી જોઈ. તેમને આશ્ચર્ય થયું. તેમણે પેટી બહાર કાઢી. બંનેએ પરસ્પર વિચારણા કરી? પેટીમાંથી જે નીકળશે તે અડધું અડધું વહેંચી લઈશું. એમણે પેટી ખોલી, બે બચ્ચાં
સંસાર ભાવના
૨૦૧