________________
૫. સંપત્તિથી ગર્વ, દરિદ્રતાથી હીનતા-દીનતા. ૬. કર્મપરવશતા. ૭. દરેક જન્મમાં નવું રૂપ. ૮. સંસાર રંગમંચ-અભિનેતા.
૯. બચપણ યૌવન-વૃદ્ધત્વ, મૃત્યુ. મોહશત્રની સતામણી :
સંસારનાં તમામ દુઃખોનું મૂળ કારણ છે મોહ. જે દુઃખદાયી હોય છે એને જ શત્રુ કહેવામાં આવે છે, એટલા માટે મોહને શત્રુ કહ્યો છે. એ અતિ ભયાનક શત્રુ છે. કારણ કે એ પ્રદર્શન કરે છે મિત્રતાનું અને કામ કરે છે શત્રુતાનું. જે મનુષ્યની અંદર મોહનું વર્ચસ્વ હોય છે તે કોઈને કોઈ વાર બીજાંની સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરશે જ. મોહાસક્ત મનુષ્ય કયું ખરાબ કામ નથી કરતો? "
રાણી સૂર્યકાન્તાએ તેના પતિ રાજા પ્રદેશી સાથે જે વ્યવહાર કર્યો હતો, તે શા માટે? રાયપરોણીયસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે બહારથી પ્રેમ બતાવનારી સૂર્યકાન્તાએ પોતાના પતિ પ્રદેશની હત્યા કરી નાખી હતી. માલવદેશના રાજા મુંજનું અપમૃત્યુ કોને કારણે થયું હતું? આવી તો અનેક ઘટનાઓ ઇતિહાસમાં અને શાસ્ત્રોમાં વાંચવા મળે છે. સંસારને ભયાક્રાન્ત-ડરામણો સમજવોઃ
મોહાસક્ત જીવોને ચાર ગતિઓમાં દુઃખોનો ભય રહે છે. નરકગતિમાં કેવાં કેવાં દુઃખ સહન કરવો પડે છે, તે મેં કાલે બતાવ્યું હતું. આજે તિર્યંચગતિનાં દુઃખો બતાવું છે. તિર્યંચગતિમાં નાનાં પશઓને મોટાં પશુઓનો ભય રહે છે. સિંહ, વાઘ વગેરે હિંસક પશુ મૃગ, ગાય, ભેંશ વગેરે પશુઓને મારે છે અને પોતાનો ભક્ષ્ય બનાવે છે.
શિકારીઓ હિંસક પશુઓનો શિકાર કરે છે. એટલા માટે હિંસક મનુષ્યોથી પશુઓને ડર રહે છે. ઘોર ત્રાસ અનુભવતાં તેઓ જીવે છે. તિર્યંચ જીવ પરસ્પર ભક્ષ્ય બનાવે છે. માતા પોતાના સંતાનને પોતાનું ભક્ષ્ય બનાવે છે. પશુઓને ખૂબ ભયાનક દુઃખો ભોગવવાં પડે છે, પરંતુ તેઓ અભિવ્યક્ત કરી શકતાં નથી.
તિર્યંચગતિમાં જીવોને સૌથી વધુ દુઃખ હોય છે ભૂખનું - તરસનું, ઉદરાગ્નિથી બળતાં તેઓ ભયાનક દુઃખ અનુભવે છે. કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહેવામાં આવ્યું છે:
तिव्वतिसाए तिसिदो तिव्वविभुवखाइ भुक्खिदो संतो । तिव्व पावदि दुःक्खं उयरहुयासेहिं डज्इंतो ॥४३॥
સંસાર ભાવના
૧૯૯