________________
માનસિક દુઃખની અપેક્ષાથી સમકિત સૃષ્ટિ જીવ વધારે દુઃખી હોય છે. પૂર્વકૃત કર્મોનો જેટલો સંતાપ એમને હોય છે એટલો મિથ્યાવૃષ્ટિ જીવોને નથી હોતો.
હવે પરમાધામી દેવો દ્વારા નરકના જીવોને જે દુઃખ આપવામાં આવે છે, તે બતાવવાનો પ્રયત્ન કરીશ.
* અતિતપ્ત લોઢાની પૂતળીઓ સાથે જીવોને જોડવામાં આવે છે.
* અત્યંત તપાવેલા સીસાનો રસ પાવામાં આવે છે.
* શસ્ત્રોથી શરીરને ક્ષત-વિક્ષત કરીને એની ઉપર ક્ષાર નાખવામાં આવે છે.
* ગરમ ગરમ તેલથી સ્નાન કરાવવામાં આવે છે.
* ભયંકર આગમાં નાખવામાં આવે છે.
* ભાલાથી વીંધવામાં આવે છે.
* ઘાણીએ નાખી પીલવામાં આવે છે.
* કરવતથી વહેરવામાં આવે છે.
* આગ સમી રેતી ઉપર ચલાવવામાં આવે છે.
* વાઘ, સિંહ જેવાં પશુઓનાં રૂપ ધરીને જીવોને સતાવે છે.
* કૂકડાઓની જેમ પરસ્પર લડાવવામાં આવે છે.
* તલવારની ધાર જેવા અસિપત્રના વનમાં ચલાવવામાં આવે છે.
* હાથ, પગ, કાન, આંખ આદિ અંગ-ઉપાંગોને કાપી નાખવામાં આવે છે; તે આત્મહત્યા કરીને પણ મરી શકતા નથી; જ્યારે એ જીવોનું આયુષ્ય સમાપ્ત થાય છે ત્યારે જ તેઓ મરે છે.
આપણા આત્માએ પણ નરકમાં આ પ્રકારનાં કષ્ટ સહ્યાં છે. કલ્પના કરો. પોતાની જાતને નરકના જીવનાં રૂપમાં જોવી અને અતિશય ક્રૂર...નિર્દય એવા પરમાધામી દેવ કષ્ટ આપી રહ્યા છે - મારી રહ્યા છે, એ કલ્પનાથી જોજો !
આજે બસ, આટલું જ.
૧૯૬
શાન્તસુધારસ : ભાગ ૧