SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ નરકનાં દુઃખઃ આપણા આત્માએ કેવાં કેવાં નરક-દુઃખો ભોગવ્યાં છે, તે સંક્ષેપમાં આજે જણાવું છું. સર્વપ્રથમ ૧૦ પ્રકારની ક્ષેત્રવેદનાઓ’ બતાવું છું ૧. પ્રતિસમય આહારાદિ પુદ્ગલોની સાથે જીવનો જે સંબંધ હોય છે, તે પ્રદીપ્ત અગ્નિથી ય વધારે દુઃખદાયી હોય છે. ૨. ઊંટ અને ગધેડાની ચાલ (ચાલવાની રીત) કરતાં પણ નારકીના જીવોની ચાલ અતિ અશુભ હોય છે. તપ્ત લોઢા જેવી ભૂમિ ઉપર જેવી રીતે પગ મૂકવાથી વેદના થાય છે, એનાથી ય વધારે વેદના નરકની ભૂમિ ઉપર ચાલવાથી થાય છે. એ વેદના અસહ્ય જ હોય છે. ૩. નરકના જીવોનું સંસ્થાન (આકાર) અતિવિકૃત હોય છે. જેવું કે કાપેલી પાંખવાળાં પક્ષી! ૪. દીવાલ ઉપરથી પડતાં પુદ્ગલોની વેદના, શસ્ત્રની ધાર કરતાં પણ વધારે પીડાકારી હોય છે. પ. નરકના જીવોનો વર્ણ અતિભયંકર હોય છે. અંધકાર જેવો કાળો હોય છે. ત્યાંનો ભૂમિભાગ શ્લેષ્મ, વિષ્ટા, મૂત્ર, કફ વગેરે બિભત્સ પદાર્થોથી લિપ્ત હોય છે. માંસ, કેશ, નખ, હાડકાં, ચામડાં આદિ જેવા આચ્છાદિત પદાર્થો હોય છે. તેથી સ્મશાનભૂમિ જેવું લાગે છે. ૬. ત્યાંની ગંધ સડી ગયેલા પશુ-કલેવરોની દુર્ગધ કરતાં પણ વધારે અશુભ હોય ૭. ત્યાંનો રસ લીમડાના રસ કરતાં પણ વધારે કડવો હોય છે. ૮. ત્યાંનો સ્પર્શ અગ્નિ અને વીંછીના સ્પર્શ કરતાં પણ વધારે તીવ્ર હોય છે. ૯. ત્યાંનો શબ્દ, અવાજ સતત પીડાગ્રસ્ત જીવોના કરણા-કલ્પાંત જેવો હોય છે. સાંભળવા માત્રથી દુખદાયી બને છે. ૧૦. પરિણામ પણ અતિવ્યથા કરનાર હોય છે. બીજા પ્રકારની પણ ૧૦ વેદનાઓ હોય છે, એ પણ જાણી લો ૧. પોષ મહિનો હોય, રાત્રિમાં હિમવર્ષા થતી હોય, પ્રચંડ વાયુ વાતો હોય, હિમાલય જેવો પ્રદેશ હોય, વસ્ત્રરહિત મનુષ્ય હોય એને જેવું દુઃખ થાય છે, એનાથી અનંતગણું દુખ નારકીના જીવોને થાય છે. ' ૨. ચૈત્ર-વૈશાખના મહિના હોય, મધ્યાહૂનનો સમય હોય, માથે સૂરજ તપતો હોય, ચારે દિશાઓમાં અગ્નિજ્વાળાઓ ફેલાયેલી હોય એવી સ્થિતિમાં કોઈ ૧૯૪ ૬ શાન્તસુધારસઃ ભાગ ૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy