SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્ન પ્રકારનાં શરીર હોય છે. શરીરનાં રૂપ, પુદ્ગલ અને રંગ અલગ-અલગ હોય છે. જે જીવોને જેવું શરીર મળે છે એનો નિર્ણય એ જીવનાં કર્મો કરે છે. અનંતકાળ.... અનંત પરિભ્રમણ.... અનાદિ સંસારમાં : રાત્રિની નીરવતામાં, એકાન્ત ભૂમિભાગમાં..... શાન્તચિત્તે સંસારની વાસ્તવિકતાનું ચિંતન કરવું પડશે. ચિંતનનો વિષય હોવો જોઈએ સંસારમાં જીવોનો જન્મ લેવો અને મરણ પામવું. પોતાની જાતને જ પૂછવું પડશે. # આ તમામ જીવો ક્યારથી જન્મે છે અને ક્યારથી મરે છે ? = જન્મ-મૃત્યુનું આ ચક્ર ચાલતું જ રહેશે યા તેનો અંત આવશે ? ॥ સંસાર આદિ છે કે અનાદિ છે ? ॥ સંસારની ચાર ગતિઓમાં સુખ છે કે દુઃખ છે ? વ્યક્તિગત રૂપે આ ચાર પ્રશ્નોનું સમાધાન શોધવું પડશે. અન્યથા અજ્ઞાનતાના અંધકારમાં જ જીવનની પૂર્ણાહુતિ થઈ જશે અને વધારે પ્રગાઢ અંધકારમાં જીવ ખોવાઈ જશે. એટલા માટે આ ચારે વાતો ઉપર ગંભીરતાથી વિચાર કરો. પહેલી વાત, જે રીતે સંસાર અનાદિ છે એવી જ રીતે જીવ પણ અનાદિ છે, એટલા માટે જન્મ અને મરણ પણ અનાદિકાળથી છે. એનો કોઈ પ્રારંભ નથી. i બીજી વાત, જન્મ-મૃત્યુનો અંત લાવી શકાય છે. જો તમે કર્મોનાં બંધનો તોડી શકો તો જન્મ-મૃત્યુનો અંત આવી શકે છે. તમે અમર બની શકો છો. અજન્મા બની શકો છો. સંસાર તો રહેશે જ. એ જેવી રીતે અનાદિ છે એ જ રીતે અનંત છે. આવા સંસારમાંથી જીવાત્મા બહાર નીકળી શકે છે. ચોથી વાત પર હજુ બે-ત્રણ દિવસો ચિંતન-મનન કરીશું. સંસારની ચારે ગતિઓમાં દુઃખ જ છે. જે કંઈ સુખ લાગે છે તે સુખ નથી, સુખાભાસ છે. માત્ર મૃગજલ છે. સર્વપ્રથમ ‘નરક’નાં દુઃખ બતાવું છું. તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે આપણે (આત્મા) અનેક વાર નરકમાં ગયા છીએ. નરકનાં ઘોર દુઃખ આપણે સહન કર્યાં છે. પરંતુ આપણે સ્વર્ગને ભૂલી ગયા છીએ, એવી જ રીતે નરકને પણ ભૂલી ગયા છીએ. શાસ્ત્રોમાં, ગ્રંથોમાં નરકનાં દુઃખોનાં વર્ણન વાંચવામાં આવે છે. પ્રશ્ન : શું વાસ્તવમાં નરક છે કે માત્ર કલ્પના છે ? ઉત્તર ઃ અમારો તો આ વિષયમાં નિઃશંક નિર્ણય છે નરકના અસ્તિત્વનો, સ્વર્ગના અસ્તિત્વનો. આ કંઈ માત્ર કલ્પના નથી. સંસાર ભાવના ૧૯૩
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy