________________
મગધસેનાએ મને પ્રેમથી ભોજન કરાવ્યું અને કહ્યું: “આજે હું મહારાજા શ્રેણિકના દરબારમાં નૃત્ય કરવા જવાની છું. તમે સાથે આવશો ને? ત્યાં ઘણા લોકો જોવા માટે આવશે.” મેં કહ્યું હે પ્રિયે, આજ મને ખૂબ નિદ્રા આવે છે, હું આવી નહીં શકું.”
મગધના રાજસભામાં ચાલી ગઈ. તેના ગયા પછી મને મૃગમાંસ યાદ આવ્યું, મારી પત્ની યાદ આવી. મારું મન વ્યથિતવિહ્વળ બની ગયું. પત્નીની ઇચ્છા પૂર્ણ કરવાની મારી ઇચ્છા પ્રબળ થઈ ગઈ. હું ઊઠ્યો અને રાજમહેલ તરફ ચાલી નીકળ્યો.
પહેલાં હું રાજસભામાં ગયો. ત્યાં મગધસેના નૃત્ય કરી રહી હતી. લોકો નૃત્ય જોવામાં લીન હતા. હું ગુપ્ત રૂપે રાજમહેલમાં ઘૂસી ગયો, મેં મૃગમાંસ લઈ લીધું અને ગુપ્ત માર્ગેથી બહાર નીકળતો હતો ને દ્વારરક્ષકે મને પકડી લીધો. દ્વારરક્ષક મને લઈને રાજસભામાં આવ્યા. મારી બાબતમાં રાજાને ફરિયાદ કરી. રાજા નૃત્ય જોવામાં લીન હતો, તેણે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. હું એવી રીતે ઊભો રહ્યો કે મગધસેનાની દ્રષ્ટિ મારા ઉપર પડે. નૃત્ય પૂર્ણ થતાં રાજાએ મગધસેનાને ત્રણ વચન માગવા કહ્યું. એ સમયે મગધસેનાએ મારા તરફ દ્રષ્ટિ કરતાં કહ્યું : “અરે, મૃગમાંસના અભિલાષી, મારા પ્રાણોની રક્ષા કરનાર, મારા પ્રાણનાથ ક્યાં છે?
મેં કહ્યુંઃ હે પ્રિયે, અહીં જ છું.' એ સમયે મગધસેનાએ રાજાને નમન કરીને કહ્યું - હે નરનાથ, આપે મને ત્રણ વચન માગવાનું કહ્યું છે, તો હું પ્રથમ વચન માગું છું કે આ મૃગમાંસની ચોરી કરનાર અપરાધીને મુક્ત કરવામાં આવે અને બીજું વચન માગું છું કે એ પુરુષ મારો પતિ થાય.' રાજાએ મગધસેનાને બે વચનો આપ્યાં. તેનું મન પ્રસન્ન થઈ ગયું. હું પણ ઘણી જ ખુશ થયો.
અમે બંને ઘેર પહોંચ્યાં. એક દિવસે મને મારું ઘર અને મારી પત્ની યાદ આવી. મેં મગધસેનાને કહ્યું - “જો તું મને રજા આપે તો હું મારે ઘેર જવા ઇચ્છું છું.... અહીં આવ્યાને ઘણો સમય વીતી ગયો છે. મારી પતિવ્રતા સ્ત્રી રાહ જોતી હશે.' બોલતાં બોલતાં મારું હૃદય ભરાઈ આવ્યું. મગધસેનાએ કહ્યું - "પ્રાણનાથ, આપ ભલે માનતા હો કે તમારી પત્ની પતિવ્રતા છે, પરંતુ તમે સ્ત્રીનું હૃદય સમજતા નથી. તો પણ જો તમારે જવું હોય તો ચાલો, પરંતુ હું પણ આપની સાથે આવીશ. મારે આપને એ સ્ત્રીનું દુરાચરણ બતાવવું છે.'
મેં એને મારી સાથે ચાલવાની અનુમતિ આપી. તે ખૂબ પ્રસન્ન થઈ - રાજાની અનુમતિ પણ લઈ આવી. અમે ઘણું ધન સાથે લઈ લીધું અને ઉજ્જયિની તરફ
ચાલ્યાં.
( ૧૮૮
શાન્ત સુધારસઃ ભાગ ૧|