________________
પોતાની આત્મકથા સંભળાવવાની શરૂઆત કરી દીધી.
“મારો જન્મ ઉજ્જયિની નગરીમાં થયો હતો. મારા પિતા ધનદત્ત અતિ ધનવાન હતા. મારું નામ હતું ચીનક. જ્યારે હું યૌવનમાં આવ્યો, તો મારા પિતાએ શ્રીમતી નામની કન્યા સાથે મારું લગ્ન કરાવ્યું. શ્રીમતી સાથે મારો જીવનકાળ સુખમય વ્યતીત થતો હતો. શ્રીમતી ગર્ભવતી થઈ, તેણે મને કહ્યું હે નાથ, મને મૃગનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે! મૃગનું માંસ લાવીને મને આપો, નહીંતર મારું અકાળ મૃત્યુ થશે. મેં એને પૂછ્યું - “મને મૃગ ક્યાં મળશે?' તેણે કહ્યું - ‘તમે રાજગૃહી નગરીમાં જાઓ, ત્યાંના રાજા શ્રેણિકની પાસે મૃગ છે.”
હું મારી પત્નીનામનોરથ પૂર્ણ કરવા માટે હાથમાં તલવાર લઈને રાજગૃહી તરફ ચાલી નીકળ્યો. પત્ની પ્રત્યે મને અનહદ અનુરાગ હતો. એટલા માટે મારા હૃદયમાં ખૂબ ઉલ્લાસ હતો. થોડાક જ દિવસોમાં હું રાજગૃહી પહોંચી ગયો. હું બાહ્યોદ્યાનમાં ગયો. ત્યાં રાજગૃહીની વેશ્યાઓ આનંદ-પ્રમોદ કરવા આવી હતી. હું એક વૃક્ષની નીચે ઊભો રહ્યો. ઉદ્યાનની શીતળ હવાથી અને વેશ્યાઓની ક્રીડાથી મારો થાક ઊતરી ગયો. એટલામાં વેશ્યાઓએ સરોવરની પાસે શોરબકોર મચાવી દીધો.
નગરીની પ્રસિદ્ધ વેશ્યા મગધસેના સરોવરમાં પડી ગઈ હતી. હું સરોવર તરફ દોડ્યો અને સરોવરમાં કૂદી પડ્યો. મને તરતાં આવડતું હતું. હું મગધસેનાને લઈને સરોવરના કિનારે આવી ગયો.
મગધસેના મારી ઉપર પ્રસન્ન થઈ ગઈ, એણે મને કહ્યું હે પ્રવાસી, તેં મને બચાવી લીધી છે એટલા માટે તું મારો ઉપકારી છે. આજ તું મારી સાથે રહે અને આ ઉદ્યાનમાં આનંદ-પ્રમોદ કર.” હું મગધસેનાની વાત ટાળી શક્યો નહીં. એક દિવસ એની સાથે ત્યાં રહ્યો. તેણે મને રાજગૃહી આવવાનું પ્રયોજન પૂછ્યું. મેં આખી વાત કહી સંભળાવી. તેણે મને કહ્યું: “હે શ્રેષ્ઠીપુત્ર, તમે સરળ છો, તમે સમજી ન શક્યા, તમારી પત્ની દુરાચારિણી છે મૃગમાંસને બહાને એણે તમને દૂર મોકલી દીધા છે.' હું મારી પત્ની પ્રત્યે અતિ રાગવાન હતો, મને એના ઉપર વિશ્વાસ હતો, એટલા માટે મેં મગધસેનાની વાત ન માની. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારી પત્ની સંપૂર્ણ પતિવ્રતા છે. પરંતુ મગધસેના માનવા તૈયાર ન હતી. એણે મને એની ભવ્ય હવેલીમાં રાખ્યો.
એક દિવસે એની સાથે રથમાં બેસીને હું નગર તરફ જઈ રહ્યો હતો ત્યાં એક દોડતો હાથી સામે આવ્યો. હાથી રાજા શ્રેણિકનો હતો. તે તોફાની બની ગયો હતો. હું રથમાંથી નીચે ઊતરી ગયો. હું હાથીને વશ કરવાની વિદ્યા જાણતો હતો. મેં તરત જ હાથીને વશ કરી દીધો. નગરમાં મારી ભારે પ્રશંસા થઈ. અમે હવેલી ઉપર પહોંચ્યાં.
સંસાર ભાવના
૧૮૭