________________
હતો.”
અભયકુમાર એકાગ્ર ચિત્તથી મુનિવરની વાત સાંભળી રહ્યા હતા. સંસારની ભયાનકતાના વિચારોમાં ડૂબી ગયા હતા. તેમણે મુનિવરને કહ્યું: “મુનિરાજ, આપે ચારિત્રધર્મનો માર્ગ લઈને વાસ્તવમાં આત્માને બચાવી લીધો છે. જીવનને પાવન બનાવી દીધું છે અને પરલોકને સુખમય કરી દીધું છે.'
અભયકુમારે મુનિરાજને વંદના કરી અને પોતાના સ્થાને ગયા. ધર્મધ્યાનમાં લીન બની ગયા. ધનદમુનિવરઃ અતિભયમ્
રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. મહામંત્રીના કાન ઉપર શબ્દ અથડાયો - અતિભયમ્.’ મહામંત્રીનું ધર્મધ્યાન ભંગ પામ્યું. તેમણે ઉપાશ્રયના દ્વારમાં પ્રવેશતા મુનિવરને જોયા, ઊઠીને મુનિવરની પાસે ગયા અને પૂછ્યું: “હે પૂજ્ય, અતિભય’ શબ્દ શું આપના મુખમાંથી નીકળ્યો ?” મુનિવરે કહ્યું: “હા મંત્રીશ્વર, મારા મુખેથી જ નીકળ્યો.' મહામંત્રીએ કહ્યું પ્રભો, જિનધર્મના શરણમાં રહેતા મુનિને કોનો ‘અતિભય’ હોય? મુનિરાજ તો નિર્ભય હોય છે.” મુનિરાજે પ્રત્યુત્તર આપ્યો.
“મંત્રીશ્વર, જિનધર્મને શરણે આવ્યા બાદ આત્મા નિર્ભય બને છે, પરંતુ મારા, ગૃહસ્થ જીવનમાં એક અતિભયંકર ઘટના બની, એની સ્મૃતિ આવી તો મારા મુખેથી ‘અતિભયમ્' શબ્દ નીકળી ગયો !” મહામંત્રીએ કહ્યું: ‘ગુરુદેવ, આપના જીવનમાં એવી તે કેવી ઘટના બની? જો આપ કહેવાની કૃપા કરશો તો મારી વૈરાગ્ય ભાવના વૃઢ બનશે.' - બે મુનિવરોની વ્યથાપૂર્ણ કથા સાંભળીને અભયકુમારની વૈરાગ્ય ભાવના દ્રઢ બની રહી હતી. આજની રાત જાણે આવી જીવનકથાઓ સાંભળવાની જ રાત હતી. અભયકુમારની તત્ત્વવૃષ્ટિ, મુનિવરોની જીવનકથામાં સંસારની વાસ્તવિકતાનું દર્શન કરતી હતી. મોક્ષમાર્ગની યથાર્થતાનું દર્શન કરતી હતી.
ધનદમુનિવરના ચરણે અભયમંત્રી બેસી ગયા. ધનદમુનિએ પોતાના જીવનની.. અતીતની સ્મૃતિને ઢંઢોળી. તેમણે કહ્યું
ઉજ્જયિની નગરીની પાસે એક ગામ છે. એ ગામમાં પ્રિયશ્રેષ્ઠી મારા પિતા અને ગુણસુંદરી મારી માતા - મારું નામ ધનદ. મારાં માતાપિતાએ મને સારા સંસ્કારો આપ્યા. જ્યારે હું યૌવનમાં આવ્યો તારે મારા પિતાએ ઉજ્જયિનીની એક કન્યા સાથે મારું લગ્ન કરાવ્યું. લગ્ન પછી કેટલાક દિવસો બાદ મારી પત્ની એના પિતાને ઘેર ગઈ. એને લેવા માટે હું પગપાળા જ ઉજ્જયિની તરફ ચાલી નીકળ્યો. સંધ્યાનો સમય હતો. મારી પાસે તલવાર હતી.
૧૮૨
શાન્ત સુધારસ : ભાગ ૧