________________
:
નાથ ! મારો પતિ કદાચ અહીં આવે તો આપ શું કરો ?' તેણે કહ્યું ઃ ‘એને ધન આપું, વસ્ત્ર આપું અને તેની પત્ની આપીને વિદાય કરું.’ પલ્લીપતિની વાત મારી પત્નીને પસંદ ન આવી. તેણે રોષ કર્યો. પલ્લીપતિએ હસીને કહ્યું ઃ ‘હું તો મજાકમાં બોલ્યો હતો પ્રિયે ! વાસ્તવમાં જો તારો પતિ અહીં આવે તો એને બાંધીને મારું' - મારી પત્ની ખૂબ ખુશ થઈ ગઈ. તે બોલી ઃ મારો પતિ આ ખાટલાની નીચે છે !' પલ્લીપતિએ મને પકડ્યો. એક વૃક્ષની સાથે મને બાંધ્યો અને માર્યો. ઝૂંપડીનાં દ્વાર ખુલ્લાં રાખીને પલ્લીપતિ મારી પત્ની સાથે સૂઈ ગયો. ત્યાં થોડીક વાર પછી એક કૂતરો આવ્યો, તેણે મારા પગનાં બંધન કાપી નાખ્યાં. હું મુક્ત થઈ ગયો. હું ઝૂંપડીમાં ગયો. ખાટલાની પાસે તલવાર પડી હતી, તે મેં ઉપાડી, મારી પત્નીને જગાડી, તલવાર બતાવી અને ઇશારાથી ચાલવા કહ્યું - તે આગળ અને હું પાછળ એમ ચાલતાં રહ્યાં; પરંતુ થોડાક જ સમયમાં પલ્લીપતિ માણસો સાથે ત્યાં આવી પહોંચ્યો. હું ગભરાઈ ગયો. મારી પત્ની પલ્લીપતિની પાછળ જઈને ઊભી રહી. પલ્લીપતિએ મારી પાસેથી તલવાર છીનવી લીધી અને મારા ઉપર પ્રહારો કર્યા, હું ભૂમિ પર પડી ગયો.
જ્યારે હું જાગ્યો ત્યારે મારા શરીર ઉપર તલવારના અનેક પ્રહારો થયા હતા. મને પુષ્કળ વેદના થતી હતી. હું જરા પણ હાલવા-ચાલવા સમર્થ ન હતો. મને મારી વિવશતા ઉપર રડવું આવી ગયું. મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યાં. મધ્યાહ્નનો સમયં થયો. એક મોટો વાંદરો છાયાની શોધમાં મારી પાસે આવ્યો. તે મને એકીટશે જોઈ રહ્યો અને જમીન ઉપર પડી ગયો. જ્યારે તેની મૂર્છા દૂર થઈ ત્યારે ઊભો થયો અને જંગલમાં ચાલ્યો ગયો. તે થોડી વારમાં જ બે પ્રકારની વનસ્પતિ લઈને આવ્યો અને મારા શરીરે વનસ્પતિ લગાડી દીધી. મારા ઘા ભરાઈ ગયા. તે પછી તે વાંદરો જમીન ઉપર કંઈક લખવા લાગ્યો. તેણે લખ્યું હતું ઃ ‘હું તારા જ ગામનો સિદ્ધકર્મા નામના વૈધનો પુત્ર હતો. પરંતુ આર્તધ્યાનમાં મરીને વાંદરો થયો છું. તને જોઈને મને મારા પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી છે. પૂર્વજન્મના ઔષધજ્ઞાનથી વનસ્પતિ લઈ આવ્યો છું અને તને સ્વસ્થ કર્યો છે. હવે તારે મારું એક કામ કરવાનું છે.’
こ
મેં કહ્યું : ‘હું તારું કામ કરીશ.’ વાનરે કહ્યું ઃ ‘મારી વાત સાંભળ, એક બલિષ્ઠ વાનરે મને વાનરયૂથમાંથી કાઢી મૂક્યો છે. એને મારીને મને એ વાનરયૂથનો નાયક બનાવી દે. મારા ઉપકારનો બદલો આ રીતે વાળવાનો છે.’ મેં એ રીતે કર્યું. એ વાનરને મારીને મારા ઉપકારી વાનરને નાયક બનાવ્યો.
પછી હું વેરનો બદલો લેવા પલ્લીપતિ પાસે ગયો. રાત્રિના સમયે એની તલવારથી એનો વધ કર્યો અને બેવફા પત્નીને લઈને ઘેર ગયો. પરંતુ મારું મન સંસારથી વિરક્ત બની ગયું હતું. મેં ગુરુદેવની પાસે જઈને ચારિત્રધર્મ સ્વીકારી લીધો. “હે મંત્રીશ્વર, આ ઘટનાથી મારા મુખમાંથી મહાભયં’ શબ્દ નીકળી ગયો
સંસાર ભાવના
૧૮૧
//