SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજે કહ્યું: ‘અવશ્ય સંભળાવીશ, આપણે ઉપાશ્રયની બહાર બેસીએ.’ | શિવમુનિ અને અભયકુમાર ઉપાશ્રયની બહાર એકાંતમાં જઈને બેઠા. નીરવ શાન્તિ હતી, આત્માઓમાં પવિત્રતા હતી, પ્રસન્નતા હતી, સ્વચ્છ આકાશ હતું, ચંદ્રની ચાંદની પૃથ્વી ઉપર વરસી રહી હતી. મુનિરાજે પોતાના જીવનની રોમાંચક કથા સંભળાવવી શરૂ કરી. મંત્રીવર, મારો જન્મ ઉજ્જયિની નગરીમાં થયો હતો. અમે બે ભાઈઓ હતા - શિવ અને દત્ત. અમારો પરિવાર નિર્ધન હતો... અમે બંને ભાઈ મોટા થયા. નિર્ધનતાનું, દરિદ્રતાનું દુઃખ અમારાથી સહન થતું ન હતું. અમે ધન માટે બીજા દેશપરદેશમાં જવાનો નિર્ણય કર્યો. અમે સૌરાષ્ટ્રમાં પહોંચ્યા. ત્યાં અમે પુષ્કળ ધન કમાયા. ઘેર પાછા ફરવા તૈયાર થયા. અમે તમામ રૂપિયાનાં રત્નો ખરીદી લીધાં - એટલે કે હીરારત્ન, મોતી વગેરે ખરીદી લીધાં અને પોલા વાંસમાં ભરી દીધાં. વાંસને લાકડીની માફક પકડીને અમે ચાલી નીકળ્યા. વાંસ ભારે થઈ ગયો હતો એટલે કોઈ વાર હું ઉપાડતો, તો કોઈ વાર મારો ભાઈ દત્ત ઉપાડતો. જ્યારે હું વાંસ ઉપાડતો ત્યારે મારા મનમાં એક પાપી વિચાર આવી જતો હતો - “જો હું દત્તને મારી નાખું તો સંપૂર્ણ ધન મારી પાસે આવી જાય. અમે ચાલતા રહ્યા. રસ્તામાં પાણીનું સરોવર આવ્યું. અમે સરોવરનું પાણી પીધું અને સ્નાન પણ કર્યું. ત્યાં મને ફરીથી આ દુષ્ટ વિચાર આવ્યોઃ આ સરોવરમાં દત્તને ડૂબાડી દઉં તો હું અધિક સંપત્તિનો માલિક બની જાઉં.” હું વિહ્વળ બની ગયો. મારું મન ચંચળ બની ગયું. મેં મારા ભાઈ દત્ત તરફ જોયું. એનો નિર્દોષ ચહેરો જોતાં જ મારા દુષ્ટ વિચાર માટે ઘોર ઘૃણા પેદા થઈ – “અરે, આ તુચ્છ ધન માટે હું મારા નાનાભાઈને મારી નાખું? નહીં, આવા આ ધનને કારણે મારા મનમાં આવો અધમ વિચાર આવ્યો એટલા માટે મારે આ ધન ન જોઈએ. મેં એ વાંસ એ સરોવરમાં ફેંકી દીધો. મારો ભાઈ દત્ત તત્કાલ ઊભો થઈ ગયો અને બોલ્યો - અરે, ભાઈ ! તેં આ શું કર્યું? આખુંય ધન પાણીમાં નાખી દીધું?” મેં હૃદય ખોલીને આખી વાત કરી, તેણે મારી વાત સાંભળ્યા પછી કહ્યું - હું જ્યારે એ વાંસ ઉપાડીને ચાલતો હતો ત્યારે મારા મનમાં પણ એ પાપી વિચાર આવ્યો હતો. તેં સારું કર્યું - અર્થ જ અનર્થનું મૂળ છે.” અમે લોકો ફરીથી નિધન થઈ ગયા. પરંતુ હવે અમને નિર્ધનતાનું દુઃખ ન હતું, કારણ કે સ્વેચ્છાથી સંપત્તિનો ત્યાગ કરવાથી દુઃખી નથી થવાતું. મંત્રીશ્વર, અમે બંને ભાઈઓ ઘેર પહોંચ્યા. બીજી બાજુ એક અજબ ઘટના બની. જે વાંસને અમે સરોવરમાં ફેંકી દીધો હતો, એ વાંસને એક મગરમભ્ય ગળી ગયો, એ મગરમસ્ય ૧૭૮ શાન્ત સુધારસ : ભાગ ૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy