SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગને દૂરથી તો જાણે પાણીથી હિલોળા લેતું સરોવર દેખાય છે અને પાણી પીવા માટે તૃષાતુર મૃગે એ તરફ દોડે છે. પરંતુ ત્યાં તો પાણીને બદલે ગરમ રેતી જ મળે છે. પુનઃ એ મૃગ દૂર નજર કરે છે.....પાણીનું સરોવર દેખાય છે. પાણી પીવા એ તરફ દોડે છે. પાણી તો નથી મળતું, ગરમ રેતી જ મળે છે. આ રીતે દિવસભર ચાલ્યા જ કરે છે. મૃગ ભટકતું જ રહે છે અને સાંજે મોતને શરણે થાય છે. વિષયતૃષ્ણા મૃગજળ જેવી છે. જીવાત્માઓ જન્મથી મૃત્યુ સુધી વિષયતૃષ્ણાના ભવરણમાં ભટકે છે. દૂરથી વિષયોમાં સુખ દેખાય છે. વિષય પ્રાપ્ત થતાં સુખ નહીં, પરંતુ દુઃખ મળે છે. આ અંગે હું તમને એક વાર્તા સંભળાવું છું. જો કે ખૂબ રોમાંચક અભયકુમાર અને ચાર મુનિવરો : મગધસમ્રાટ શ્રેણિકના પુત્ર અને મહામંત્રી હતા અભયકુમાર. અભયકુમારને ભગવાન મહાવીર ઉપર અપાર શ્રદ્ધા હતી. મગધદેશના મહામંત્રી હોવા છતાં પણ તે પોતાનું આત્મકલ્યાણ ભૂલ્યા ન હતા. અનેકવિધ પ્રવૃત્તિઓ હોવા છતાં સમય કાઢીને, નિવૃત્ત થઈને તે ધર્મધ્યાન કરતા હતા. તેમને સંસારત્યાગી અને વિરાગી મુનિવરો પ્રત્યે અનહદ પ્રેમ હતો. કોઈ કોઈ વાર પૌષધદ્રત લઈને, રાતભર મુનિવરોની સાથે રહેતા હતા અને પવિત્ર વાતાવરણનો આનંદ લેતા હતા. એમને પવિત્ર મુનિજીવન પસંદ હતું અને એમનું ધ્યેય પણ મુનિજીવન જ હતું. એક દિવસની વાત છે. અભયકુમારે રાત્રે પૌષધદ્રત લીધું. પૌષધશાળામાં શ્રી સુસ્થિતસૂરિજી અનેક મુનિવરો સાથે બિરાજમાન હતા. રાત્રિનો એક પ્રહર વીત્યા બાદ સર્વમુનિવરો નિદ્રાધીન થયા, ત્યારે અભયકુમારે ધર્મધ્યાન શરૂ કર્યું. એટલામાં રાત્રિની નીરવ શાન્તિનો ભંગ કરતો ભય' એવો શબ્દ સંભળાયો. અભયકુમારે જે દિશામાંથી અવાજ આવ્યો હતો તે દિશામાં જોયું. ઉપાશ્રયમાં પ્રવેશ કરતા એક મુનિરાજના મુખેથી આ અવાજ આવ્યો હતો. અભયકુમાર ઊભા થયા અને મુનિરાજને વિનયથી પૂછ્યું : “હે પૂજ્ય, ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં નિસિપી બોલવાનું હોય છે, આપ ભય” બોલ્યા. ભગવંત, આપને ઉપાશ્રયમાં કેવા પ્રકારનો ભય છે?” મુનિરાજને કંઈક સંકોચ થયો. તેમણે કહ્યું: “મંત્રીવર, અચાનક જ મારા મુખમાંથી ભયં' શબ્દ નીકળી ગયો! અહીં ઉપાશ્રયમાં કોઈ ભય નથી. આ તો મારી પૂર્વાવસ્થાની એક ઘટના સ્મૃતિપથમાં આવી અને મારા મુખથી ‘ભય' શબ્દ નીકળી ગયો.” હે મુનિવર, આપની પૂર્વાવસ્થાની સત્ય ઘટના આપ મને સંભળાવશો? સંસાર ભાવના
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy