________________
લોભથી વિનાશ:
પરંતુ જેઓ આત્મજ્ઞાની નથી હોતા તેમનો લોભ વિનાશ કરે છે. ઉપનિષદોમાં એક કથા આવે છે. મહાપંડિત કૌસ્ય’ કાલિન્દી નદીના તટ ઉપર પ્રતિદિન પ્રવચન કરતા હતા. વિષય ચાલતો હોં લોભથી વિનાશ' પંડિતજી સ્વયંને લોભવિજેતા માનતા હતા. આમ તો તેમની સામે લોભનો કોઈ પ્રસંગ પણ આવ્યો ન હતો.
નદીના ઊંડા પાણીમાં એક મગરમચ્છ રહેતો હતો. એણે વિચાર કર્યો કે આ પંડિત અભિમાની, અપક્વ અને આપબડાઈ - શેખીખોર છે. તેણે પંડિતને બોધપાઠ આપવા વિચાર કર્યો. મગરમચ્છ એક દિવસે નદીકિનારાથી પંડિતના આસન સુધી મોતી વેરી દીધાં. પંડિત મોતી જોયાં. એ મોતી એકત્ર કરવા લાગ્યા. મોતી એકત્ર - કરતાં કરતાં તે નદીકિનારે પહોંચી ગયા. કિનારા ઉપર મગરમચ્છ તેમની જ રાહ જોતો હતો. તેણે પંડિતજીને પ્રણામ કર્યા અને કહ્યું :
કૃપાવંત, હું તો જળચર પ્રાણી છું. આપના આસન સુધી પણ આવી શકતો નથી. એટલે મોતી નાખીને આપને અહીં સુધી બોલાવ્યા. આપનાં દર્શન કરીને ધન્ય
થયો.”
મગરમચ્છની સંપન્નતા, ઉદારતા અને શ્રદ્ધા જોઈને કૌલ્ય પંડિત ખુશ થયા. આશીર્વાદ આપ્યા. મગરમચ્છ કહ્યું: ‘ગુરુદેવ, આપ તો કરુણાનિધાન છો. મારી એક મન કામના છે - ત્રિવેણી સ્નાન કરવાની. મેં માર્ગ જોયો નથી. શું આપ મને માર્ગ દેખાડશો? આપ મારી પીઠ ઉપર બેસી જશો અને માર્ગ દેખાડશો, તો હું તરતો જઈશ ત્રિવેણી સંગમ પહોંચીને મારી પાસે જે સહસ્ત્ર મણિઓનો હાર છે એ આપને અર્પણ કરીશ.”
મગરમચ્છની વાત સાંભળીને પંડિતજીના મુખમાં પાણી આવ્યું. સહસ્ત્ર મણિઓના હારની વાત સાંભળીને તે તો લલચાઈ ગયા. લોભના પહેલા જ આક્રમણે પંડિતનું પાંડિત્ય હવા થઈને ઊડી ગયું! તે મગરમચ્છની પીઠ ઉપર બેસી ગયા. મગરમચ્છ તો નદીના પ્રવાહમાં તરવા લાગ્યો. મગરમચ્છ પંડિતજીને કહ્યું :
પંડિતજી, આપ તો દરરોજ “લોભથી વિનાશનો ઉપદેશ આપો છો. એ ઉપદેશ તમે જ ભૂલી ગયા ને?” તેણે તરત જ પંડિતજીને પાણીમાં નાખી દીધા અને પોતાના ઉદરમાં પધરાવી પણ દીધાં. મગરમચ્છ પંડિતજીને ગળી ગયો. વિષયલાલસા : મૃગતૃષ્ણા:
ગ્રંથકારે સંસારને ઉજ્જડ વેરાન જંગલની ઉપમા આપી છે. એને જંગલ કહેવાને બદલે રણ કહેવું વધારે યોગ્ય લાગશે. રણમાં સૂર્ય તપે છે ત્યારે મૃગજળ દેખાય છે.
૧૭૬
શાન્તસુધારસઃ ભાગ ૧|