________________
લપેટાઈને સુખ આપે છે! ભવ-વનમાં કેટલીક જગાઓ એવી હોય છે જ્યાં જીવોને દુઃખ જ દુઃખ હોય છે. એ જ રીતે કેટલીક જગાએ ભવ-વનમાં એવી પણ વેલીઓ હોય છે કે જે સુખ જ સુખ અર્પતી હોય છે, પરંતુ ત્યાં ય નવી દુઃખદાયિની કર્મલતાઓ જીવોને ચોંટી પડે છે - વીંટળાઈ વળે છે.
કર્મલતાઓ એ રીતે લપેટાઈ રહે છે કે જીવોને તેનો ખ્યાલ પણ આવતો નથી કે મારા શરીર પર (આત્મા પર) કર્મોની લતાઓ વીંટળાઈ વળી છે. લતાઓની આ વિશેષતા હોય છે. પરંતુ જ્યારે વીંટળાયેલી વેલીઓ પોતાનો પ્રભાવ બતાવે છે ત્યારે જીવોને ખબર પડે છે. સુખ-દુઃખ, શાન્તિ-અશાન્તિ બધું જ કર્મલતાઓનો પ્રભાવ હોય છે! ભવ-વનમાં સર્વત્ર મોહાલ્પકાર : પહેલી વાત ભવ-સંસાર વન છે. બીજી વાતઃ ભવ-વનમાં આસવોની વર્ષા થઈ રહી છે. ત્રીજી વાતઃ ભવ-વનમાં સર્વત્ર કમની લતાઓ ફેલાયેલી છે. - હવે ઉપાધ્યાયજી ચોથી વાત જણાવે છે કે ભવ-વનમાં સર્વત્ર અંધકાર છે. પ્રકાશનું એક પણ કિરણ નથી. પ્રગાઢ અંધકાર વ્યાપ્ત છે ભવ-વનમાં. એ અંધકાર છે મોહનો, અજ્ઞાનનો. ઉપાધ્યાયજી કહે છે :
મૌલાન્યોઘુર (ભવ-વને) અંધકારમાં સાચો માર્ગ સારી રીતે દેખાતો નથી. જીવ અંધારામાં ભટકાઈ પડે છે અને ખોટા માર્ગે ચાલે છે. અંધકારમાં સાચા અને ખોટા માર્ગનો નિર્ણય કરી શકાતો નથી. સંભવ છે કે ખોટા માર્ગને સાચો માની લે અને સાચા માર્ગને ખોટો માની લે. આ તો મોહનો અંધકાર ! અતિ ભયાનક હોય છે આ મોહ-અંધકાર. આટલો તો રાત્રિનો અંધકાર પણ ભયંકર હોતો નથી. ભોંયરાનો અંધકાર પણ નહીં. થોડીક કલ્પના તો કરો -
જંગલ છે, ભયાનક છે, એમાં મૂશળધાર વષ થઈ રહી છે. જમીન પર સર્વત્ર વિભિન્ન પ્રકારની લતાઓ ફેલાયેલી પડી છે... સર્વત્ર માત્ર ઘોર અંધકાર, અને આપણો કોઈ સાથી નથી. આપણે અંધારામાં ભટકી રહ્યા છીએ.
કેવી ભયાનક કલ્પના છે? તમે તમારી જાતને એવા ઘોર જંગલમાં ભૂલ્યાભટક્યા માની લો. કંપી ઊઠશો! રોવા લાગશો, અને એ સમયે કદાચ તમારા મુખમાંથી પોકાર પડી જાય - હે પ્રભુ, મારી રક્ષા કરો. મને આ ભયાનક વનમાંથી બચાવી લો.’ તો સંભવ છે કે તમારો પોકાર સંભળાશે અને તમને કોઈ બચાવનાર
શાન્ત સુધારસઃ ભાગ ૧