SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાંકથી આવી પણ જાય. તમને દિવ્ય અભય વચન સંભળાશેઃ “વત્સ, નિર્ભય થા, તારી રક્ષા હું કરીશ.' તીર્થકરોની સુધારસપૂર્ણ વાણી: : એ અભય વચન હોય છે તીર્થકર ભગવંતનાં, એ કરુણાપૂર્ણ વાણી હોય છે તીર્થંકર પરમાત્માની, કરુણાના સાગર તીર્થકર ભગવાન એટલા માટે તો પોતાની અમૃતમયી વાણી વહેવડાવે છે. ભવ-વનમાં ભૂલ્યા-ભટકતા જીવોનું પરમ હિતા કરવા માટે તીર્થકર ધર્મદિશના આપે છે. ધર્મતીર્થની સ્થાપના જ એ હેતુ માટે કરવામાં આવે છે. રોહિતાય પ્રવર્તિયામ તીર્થમિમ | ભગવાન ઉમાસ્વાતિજીનાં આ વચનો છે. જ્યારે પણ તમને ભવ-વનમાં ભય લાગે, સંતાપ જણાય; દુઃખની અનુભૂતિ થાય, ત્યારે તમારા હૃદયમાંથી વેદનાપૂર્ણ પોકાર નીકળવો જોઈએ. ભગવંત, મારી રક્ષા કરો, આપના સિવાય અન્ય કોઈ મારો સહારો નથી, શરણ નથી. પ્રભો ! મને આ ભયંકર ભવ-વનમાંથી બચાવી લો.’ હૃદયના પોકારો સંભળાય છે. રક્ષા થાય છે. ગમે તે રીતે કોઈ પણ નિમિત્તે - કોઈ પણ માધ્યમથી રક્ષણ થાય છે. વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી કહે છે ” तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥ . તીર્થકરોની અમૃતમયી રમ્ય વાણી આપની રક્ષા કરો. તીર્થંકર પરમાત્માની ઓળખાણ કરી છે? આંતર-બાહ્ય રૂપે તમે તીર્થંકર ભગવંતનો પરિચય પ્રાપ્ત કર્યો છે? તીર્થકરોની દિવ્ય કરુણા : તીર્થંકર પરમાત્મા વીતરાગ હોય છે. રાગ-દ્વેષથી રહિત હોય છે. ન કોઈના પ્રત્યે રાગ હોય છે કે ન તો કોઈ પ્રત્યે દ્વેષ હોય છે. છતાં પણ તે સંસારના તમામ જીવો પ્રત્યે - સંસારવનમાં - ભવ-વનમાં ભટકતા સર્વ જીવો પ્રત્યે કરુણાવંત હોય છે. તમે 'કરુણાને રાગ ન સમજો. રાગ કરુણા હોતો નથી. કરુણાનું સ્વરૂપ રાગ નથી હોતું. રાગ સ્વકેન્દ્રિત હોય છે, જ્યારે કરુણા સ્વકેન્દ્રિત હોતી નથી. પરંતુ વિનાશિની | બીજાંનાં દુઃખ મટાડવા માટે કરુણા હોય છે. એટલા માટે તો મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ અને આધ્યાત્મિક મહાપુરુષોએ તીર્થકરોને કરુણાસાગર’ કહ્યા છે. “કરૂણાનિધાન' કહે છે. કરણાનું ધામ' કહે છે. તેમને પોતાના ઉદ્ધારની પ્રાર્થના કરી છે, દુઃખનિવારણની અભ્યર્થના કરી છે. શું તમે જાણો છો કે તીર્થકર બનાવનાર તીર્થંકર નામકર્મ કોણ બાંધે છે? અને પ્રસ્તાવના |
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy