________________
પ્રારંભમાં જ જ્ઞાનવૃષ્ટિથી સંસારનું સ્વરૂપદર્શન કરાવ્યું છે. સ્વરૂપદર્શન કરાવીને કહે છે કે આ સંસારમાં તીર્થંકરની વાણી જ જીવોનો સહારો છે.
ભવ-વનમાં સર્વત્ર કર્મોની વેલ :
વનમાં - જંગલમાં જમીન ઉપર શું હોય છે ? કાંકરા હોય છે, વૃક્ષો હોય છે, છોડવાં હોય છે અને વેલીઓ હોય છે. ભવ-વનની જમીન ઉપર સર્વત્ર કર્મોની વેલડીઓ ફેલાયેલી છે. જમીનનો એક ટુકડો પણ એવો નથી કે જ્યાં કર્મોની વેલીઓ ફેલાયેલી ન હોય !
ઊર્ધ્વલોક હોય, મધ્યલોક હોય યા અધોલોક હોય - સર્વત્ર કર્મવેલડીઓ ફેલાયેલી - ફૂટેલી છે. જીવ જ્યાં પગ મૂકે છે ત્યાં કર્મોની વેલીઓ પગમાં વીંટળાઈ વળે છે.
મુખ્ય રૂપે કર્મોની વેલી આઠ પ્રકારની હોય છે. અવાંતર પ્રકા૨ ૧૫૮ છે. આમ તો અવાન્તરના ય અવાન્તર પ્રકારો છે. મુખ્ય આઠ પ્રકાર છે - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય. અવાન્તર પ્રકારો છે - જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ, મોહનીયના ૨૮, અંતરાયના ૫, નામના ૧૦૩, ગોત્રના ૩, વેદનીયના બે અને આયુષ્યના ચાર. આના ય અવાન્તર ભેદ છે. આ સર્વ વેલો ભવભૂમિ ઉપર ફેલાયેલી છે. જીવ જ્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં ત્યાં કર્મોની વેલી એના પગે વીંટળાઈ વળે છે.
સમજ્યા ને ? ઘરમાં હો કે મંદિરમાં, દુકાનમાં હો કે ધર્મસ્થાનમાં, હીલસ્ટેશન ઉ૫૨ હો કે તીર્થસ્થાનમાં,. કર્મોનું બંધન થતું જ રહે છે. એક આયુષ્ય કર્મને બાદ કરતાં અન્ય સર્વે કર્મો બંધાતાં જ રહે છે. શુભ કર્મ યા અશુભ કર્મ બંધાતાં જ રહે છે. સંસારમાં એવી એક પણ જગા નથી કે જ્યાં જીવ કર્મબંધ ન કરતો હોય !
કર્મ બંધાતાં રહે છે અને કર્મ ઉદયમાં આવતાં રહે છે. એ વાતને ઉપાધ્યાયજીએ કાવ્યાત્મક શૈલીમાં બતાવી છે :
'नानाकर्म- लतावितानगहनें'
વિવિધ પ્રકારનાં કર્મોની વેલથી ગહન ભવ-વનમાં અનન્ત ભ્રાન્ત જીવો ભટકી રહ્યા છે ! કલ્પના કરવાની છે. ભવ-વનની કલ્પના કરો. એમાં આસ્રવોની વર્ષાની કલ્પના કરો. જમીન ઉપર સર્વત્ર કર્મોની લતાઓ ફેલાયેલી પડી છે...સમગ્ર ભૂમિ કર્મલતાઓથી આચ્છાદિત છે - ભરી પડી છે. જીવોએ સર્વત્ર કર્મલતાઓ ઉપર પગ મૂકવાનો છે. કેટલીક લતાઓ વીંટળાઈ વળે છે. કેટલીક લતાઓ છૂટી જાય છે. અનાદિકાળથી આ ક્રમ ચાલ્યા કરે છે. ભવ-વનની આ એક ભયાનક સ્થિતિ છે. કેટલીક કર્મલતાઓ જીવોને લપેટી લે છે અને દુઃખી કરે છે. તો વળી કેટલીય
S
પ્રસ્તાવના