________________
અલ્પ પડે છે. કષાયોની વર્ષાથી બચવું - પૂર્ણરૂપમાં બચવું, ભવ-વનમાં અશક્યવત્ છે. થોડુંઘણું તો ભીંજાવું જ પડે છે. ભવ-વનમાં ભટકતા જીવોની આ એક પરવશતા
ચોથી વર્ષો હોય છે -મન-વચન-કાયાના શુભાશુભ યોગોની, અશુભ યોગોની. અશુભ યોગોની વર્ષથી જીવોનાં મન બગડે છે. ખરાબ વિચારો આવતા રહે છે. અશુભ ધ્યાન થતું જાય છે. મનની વિકૃતિની સાથે વાણીની વિકૃતિ પણ થઈ જાય છે. અપ્રિય, અસત્ય અને અહિતકારી બને છે વાણી. જીવાત્મા અપ્રિય, અસત્ય અને અહિતકર જ બોલે છે. ઇન્દ્રિયોનો દુરુપયોગ કરે છે. આ તો થઈ અશુભ યોગોની વર્ષના પ્રભાવોની વાત. શુભ યોગોની વર્ષોથી આનાથી વિપરીત પ્રભાવ પડે છે. મનમાં સારા વિચારો આવે છે. વાણી પ્રિય, સત્ય અને હિતકારી બને છે. શરીરથી, પ્રવૃત્તિઓ પણ પ્રશસ્ત જ થાય છે. કોઈ વાર શુભ યોગોની વર્ષમાં ભીંજાવાનું તો કોઈ વાર અશુભ યોગોની વર્ષમાં ભીંજાવાનું થાય છે - યોગોની વષ નિરંતર થતી જ રહે છે.
પાંચમી વર્ષા થાય છે - પ્રમાદોની. પ્રમાદોની વર્ષમાં ભીંજાતા જીવોની અનેક પ્રકારની વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. મુખ્ય રૂપથી પાંચ વિકૃતિઓ થાય છે. પ્રથમ વિકૃતિ છે નિદ્રા. એવા જીવોને નિદ્રા વધારે આવે છે. વધારે ઊંઘવાનું એમને પ્રિય હોય છે. બીજી વિકૃતિ છે વિષયલાલસાની. પાંચ વિષયોના પ્રિય વિષયોનો વધારે ઉપભોગ કરે છે. ત્રીજી વિકતિ છે કષાયોની. તેઓ કષાયો કરતા રહે છે. ચોથી વિકૃતિ હોય છે વિકથાઓ કરવાની. વિકત. કથાઓને વિકથાઓ કહે છે. શૃંગારપ્રધાન વાતો કરે છે, ભોજનવિષયક ચર્ચા કરતા રહે છે, દેશસંબંધી ફાલતું વાતો કરે છે અને દેશનેતાઓની બાબતમાં નિપ્રયોજન આલાપ-પ્રલાપ કરતા જ હોય છે.
પ્રમાદ-વષમાં ભીંજાનારાની આ સ્થિતિ થાય છે. પાંચમી વિકૃતિ છે આળસ. કોઈ પણ કાર્ય આવા માણસો સમયસર નથી કરતા. એમનું ચાલે તો કાર્ય કરશે જ નહીં, સુસ્ત પડ્યા રહેશે. પોતાના કર્તવ્યોનું પાલન નહીં કરે. જો મિથ્યાત્વની વર્ષમાં જીવન ભીંજાય તો અવિરતિની વર્ષમાં ઓછો ભીંજાશે, અને તેનાથી પ્રમાદ-વષનો પ્રભાવ ઓછો પડે છે.
* સદેવ યાદ રાખવું કે આ ભવ-વન છે.
*સદૈવ યાદ રાખવું કે આ ભવ-વનમાં પાંચ આગ્નવોનાં વાદળો વરસી રહ્યાં છે. એ વર્ષમાં અનંત અનંત જીવો ભીંજાતા રહે છે, એવી કલ્પના કરતા રહેવું. આપણે પણ ભીંજાઈ રહ્યા છીએ એમ માનવું. ભવ-વનની ભયાનકતાનો ખ્યાલ રહેશે તો સંસાર પ્રત્યે રાગ નહીં રહે. વિષયાસક્તિ નહીં ટકે. ઉપાધ્યાયજીએ ગ્રંથના શાન્ત સુધારસઃ ભાગ ૧ |