SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વનમાં પાંચ આસ્રવોનાં વાદળો વરસે છે. પાંચ આસવોનાં વાદળ ! વાદળોને જાણો છો ને ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ યોગ અને પ્રમાદ. આ પાંચ આસ્રવો છે, અને એ જ ઘનઘોર વાદળો છે. વરસતાં વાદળો છે. અનંત જીવો એ વર્ષામાં ભીંજાઈ રહ્યા છે. આ તાત્ત્વિક દર્શન છે. તત્ત્વવૃષ્ટિથી દર્શન કરવાનું છે. મિથ્યાત્વ વરસી રહ્યું છે. અવિરતિ વરસી રહી છે. કષાયો વ૨સી રહ્યા છે. મન-વચન-કાયાના અશુભ યોગો વ૨સી રહ્યા છે. એવા વરસાદનું દર્શન કરવાનું છે. કરશો ને ? અવશ્ય કરવાનું છે. આપણે ભવ-વનમાં છીએ, ભટકી રહ્યા છીએ, અને આસ્રવોની વર્ષામાં ભીંજાઈ રહ્યા છીએ. આસ્રવોની આ વર્ષા જીવને માત્ર ભીંજવી રહી છે, એવું નથી, આ વર્ષાના કેટલાક નિશ્ચિત દુષ્પ્રભાવો હોય છે. પહેલી છે મિથ્યાત્વની વર્ષા. આ વર્ષમાં ભીંજાતો જીવ, આત્મતત્ત્વને માનતો નથી, જાણતો નથી, સ્વીકારતો નથી. દેહને જ, શરીરને જ આત્મા માને છે. પરમાત્મતત્ત્વ હોય છે, વાસ્તવિક હોય છે, તેનો પણ સ્વીકાર કરતો નથી. પરંતુ વાસ્તવમાં જે પરમાત્મતત્ત્વ નથી, તેને પરમાત્મા માને છે, જે સાચાં રૂપમાં ગુરુતત્ત્વ હોય છે તેને ગુરુ માનતો નથી, પરંતુ વાસ્તવમાં ગુરુ નથી હોતા તેને ગુરુ માને છે. જે ધર્મતત્ત્વ નથી હોતું, એને ધર્મ માને છે અને જે સાચું ધર્મતત્ત્વ હોય છે તેનો સ્વીકાર કરતો નથી. જેવી જોઈએ એવી આસ્તિકતા હોતી નથી, જેવો જોઈએ એવો ભવવૈરાગ્ય હોતો નથી. મોક્ષરાગ હોતો નથી. દુઃખી જીવો પ્રત્યે કરુણા નથી હોતી અને કષાયો પણ ઉપશાંત હોતા નથી. મિથ્યાત્વની વર્ષામાં ભીંજાતા જીવોની આ પરિસ્થિતિ હોય છે. બીજી ‘અવિરતિ'ની વર્ષા હોય છે. અવિરતિની વર્ષામાં ભીંજાતા જીવોમાં એક મોટી વિકૃતિ આવે છે. એ જીવોને કોઈ નાનુંમોટું વ્રત લેવાની, પ્રતિજ્ઞા લેવાની, નિયમ લેવાની ઇચ્છા થતી નથી. વ્રત ગ્રહણ કરવાનો ઉત્સાહ જ પેદા થતો નથી. વ્રતનિયમની વાતથી ગભરાય છે. હા, મિથ્યાત્વની વર્ષાથી ન ભીંજાનારો જીવ અવિરતિની વર્ષોથી ભીંજાતો હોય તો તે વ્રત-નિયમોની ઉપાદેયતાનો સ્વીકાર ક૨શે, પરંતુ વ્રત-નિયમનું પાલન નહીં કરી શકે. ‘હું વ્રત ગ્રહણ કરું’, એવો ભાવોલ્લાસ જ પ્રકટ થતો નથી. ત્રીજી વર્ષા થાય છે - કષાયોની. ક્રોધ-માન-માયા અને લોભની વર્ષા ભવ-વનમાં થતી રહે છે. જીવો કષાયવર્ષામાં ભીંજાતા રહે છે. તેઓ ક્રોધી બને છે, અભિમાની બને છે. માયા કરે છે અને લોભી બની જાય છે. જે જીવ મિથ્યાત્વની વર્ષામાં ભીંજાતા નથી, તેમની ઉપર કષાયોની વર્ષાનો પ્રભાવ કંઈક ઓછો થાય છે. અવિરતિની વર્ષામાં જેઓ વધારે ભીંજાતા નથી એમની ઉપર પણ કષાયોની અસર પ્રસ્તાવના ૪
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy