________________
માટીની, ભગવાન શાન્તિનાથની મૂર્તિ બનાવી અને પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરવા લાગી. તેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અપૂર્વ શરણભાવ હતો. વસંત નામના સાર્થવાહે ગુફાની પાસે એક નગર વસાવી લીધું હતું, ત્યાં દમયંતીએ આપેલા ઉપદેશથી પ૦૦ તાપસો પ્રતિબોધ પામ્યા હતા. ભગવાન શાન્તિનાથના ભક્ત બની ગયા હતા.
એક દિવસે દમયંતી ગુફાની બહાર જંગલમાં પરિભ્રમણ કરી રહી હતી એ સમયે અચાનક તેની સામે ભયાનક આકૃતિવાળી રાક્ષસી પ્રકટ થઈ અને બોલી હું તને ખાઈ જઈશ, દમયંતી ગભરાઈ નહીં, તેણે આંખો બંધ કરી દીધી અને બોલી : જો મારા પતિ નળ સિવાય કોઈ પણ પુરુષનો કામવાસનાથી પ્રેરિત થઈને વિચાર ન કર્યો હોય, તો મારા આ સતીત્વના પ્રભાવથી અને મારા હૃદયમાં રહેલા આહંત ધર્મના પ્રભાવથી આ રાક્ષસી શાંત થઈ જાઓ.' તત્પણ રાક્ષસી શાન્ત થઈ ગઈ, દમયંતીને પ્રણામ કર્યા અને અદ્રશ્ય થઈ ગઈ.
દમયંતી એ જ વનમાં આગળ ચાલી. નદીમાં એક ટીપું પણ પાણી ન હતું. દમયંતીએ પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ કરીને નદીમાં પગથી પ્રહાર કર્યો, તો નદીમાં પાણી ઊભરાઈ આવ્યું. જળપાન કરીને દમયંતી એક વૃક્ષ નીચે બેઠી. .
ત્રીજું પ્રસિદ્ધ ઉદાહરણ સતી સુરસુંદરીનું છે. રાક્ષસદ્વીપની ઉપર એનો પતિ અમરકુમાર સુરસુંદરીનો ત્યાગ કરીને ચાલ્યો ગયો હતો. દ્વીપ ઉપર એકલી સુરસુંદરી જ રહી ગઈ હતી. સમુદ્રને કિનારે જઈને તેણે મધ્યમ સ્વરથી શ્રીનવકાર મંત્રના જાપ શરૂ કર્યા હતા. એ સમયે એ દ્વીપનો અધિષ્ઠાયક રાક્ષસ ત્યાં આવે છે. પરંતુ નવકારનો ધ્વનિ સાંભળીને તરત જ શાન્ત થઈ જાય છે, સુરસુંદરીને પુત્રીવતું ચાહે છે, દ્વીપ ઉપર રાખે છે અને તેને સુખસુવિધાઓ આપે છે.
પાછળથી તો સુરસુંદરીના જીવનમાં અનેક તોફાનો આવે છે, અનેક દુઃખો આવે છે. પરંતુ શ્રીનવકારના અચિંત્ય પ્રભાવથી અને સતીધર્મના પ્રભાવે તે વિદ્ગો ઉપર વિજય પામે છે. વિદ્યાધર રાજા રત્નજટીના પરિચય પછી એને અનેક પ્રકારનાં સુખ મળે છે. એની કીર્તિ ફેલાય છે અને પરિણામસ્વરૂપ તે ભવસાગર તરી જાય છે. અભય-અષ-અખેદ :
અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા પ્રકટ થતાં અને શરણાગતિનો દિવ્ય ભાવ પ્રકટ થતાં મનુષ્ય નિર્ભય બની જાય છે. ગમે તેવાં વિઘ્નો આવે, આપત્તિ આવે, તો પણ તે નિર્ભય રહે છે. બીજો પ્રતિભાવ આવે છે અષનો. એને દુઃખ આપનાર જીવાત્માઓ પ્રત્યે દ્વેષ થતો નથી, પણ કરૂણા ઉત્પન્ન થાય છે, અથવા મધ્યસ્થભાવ રહે છે. શત્રુતા કે વેરભાવ નહીં. ત્રીજો પ્રતિભાવ હોય છે અનેદનો. ૧૬૮
શાન્તસુધારસઃ ભાગ ૧ |