SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય જીવનનું મમત્વ નહીં, ચક્રવર્તીના જીવનનું મમત્વપેદા થયું!ચિત્રમુનિ જીવનના મમત્વથી ન બંધાયા, સંભૂત બંધાઈ ગયા. તેમણે નિયાણું કરી દીધું. બંને ભાઈનું આયુષ્ય પૂર્ણ થતાં બંને જણા દેવલોકમાં દેવ બન્યા. દેવત્વ પણ શાશ્વતુ નથી હોતું. દેવોનું પણ આયુષ્ય હોય છે. આયુષ્ય પૂર્ણ થતાં દેવત્વ છૂટી જાય છે. મનુષ્ય ભવાયા તો તિર્યંચભવમાં જન્મ લેવો પડે છે. દેવમરીને દેવભવમાં જન્મ લઈ શકતો. નથી. એ રીતે સીધો નરકમાં પણ જન્મ ધારણ કરતો નથી. સંભૂત મરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી : સંભૂતના દેવભવનું આયુષ્ય પૂર્ણ થાય છે અને એ ભરતક્ષેત્રના કાંડિલ્યપુરમાં બ્રહ્મરાજાની રાણી ચલણીદેવીના પેટે અવતરે છે. ચલણીએ ૧૪મહાસ્વપ્નો જોયાં. ચક્રવર્તીની માતા ૧૪ સ્વપ્નો જુએ છે. પુત્રનો જન્મ થયો તો તેનું નામ બ્રહ્મદત્ત રાખવામાં આવ્યું. બ્રહ્મદત્ત બાર વર્ષનો થયો ત્યારે બ્રહ્મરાજાનું મૃત્યુ થઈ ગયું ચક્રવર્તી બન્યા પહેલાં બ્રહ્મદત્ત રાજાના જીવનમાં અનેક કષ્ટો આવ્યાં, આપત્તિઓ આવી. પરંતુ એનો જીવનમોહપ્રબળ હતો. તેને વૈરાગ્ય થવાનો નહતો. એક દિવસે એ ચક્રવત બન્યો. નિયાણું કર્યું હતું ને? સ્ત્રીરત્ન પણ મળ્યું. નિમિત્ત મળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વના પાંચ જન્મ બતાવનાર જ્ઞાન જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. તેણે પૂર્વજન્મના ભાઈ ચિત્રને જોયો: ‘મારો ભાઈ મને ક્યાં મળશે?” ચિત્ર માટે તેના હૃદયમાં દ્રઢ અનુરાગ હતો. ચક્રવર્તી ચિત્રને શોધી કાઢે છે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, આ ભરતક્ષેત્રમાં ચિત્ર પુરીમતાલ નગરમાં શ્રેષ્ઠીપુત્ર બને છે. એને પણ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે સંસારથી વિરક્ત બને છે અને ચારિત્રધર્મનો સ્વીકાર કરે છે. પૂર્વભવના ભ્રાતાને પ્રતિબોધ આપવા તે મુનિ પુરીમતાલ નગરમાં આવે છે. ત્યાં બ્રહ્મદત્ત સાથે તેનું મિલન થાય છે. બ્રહ્મદત્ત પૂર્વભવના ભાઈને મળતાં અતિશય હર્ષસભર બની જાય છે. વંદના કરે છે અને ઉપદેશ સાંભળવા વિનયથી બેસી જાય છે. મુનિરાજ બ્રહ્મદરને ઉપદેશ આપે છે. જો કે તે જાણે છે કે આ નિયાણું કરીને ચક્રવર્તીપદ પામ્યો છે, એટલા માટે તેનું જીવનમમત્વ, ભોગાસક્તિ તૂટે તેમ નથી. છતાં પણ એક કર્તવ્યના સંબંધે તેમણે ઉપદેશ આપ્યો. પૂર્વજન્મના ભ્રાતા-મુનિનું મિલનઃ ઉપદેશઃ હે રાજનું, આ સંસાર અસાર છે. સંસારમાં કશું પણ સારભૂત નથી. સારભૂત એકમાત્ર ધર્મ જ છે. આ શરીર, લક્ષ્મી, સંપત્તિ, સ્વામિત્વ, સ્નેહ, સ્નેહી, સ્વજનો – સર્વ ચંચળ છે, અસ્થિર છે, વિનાશી છે. રાજનું તેં બહારના તમામ શત્રુઓને જીતી [ અશરણ ભાવના : ૧૬૫ |
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy