________________
शरणमेकमनुसर चतुरंगं परिहर ममतासंगम् । विनय ! रचय शिवसौख्यनिधानं, शान्तसुधारसपानम् ॥८॥
विनय ! विधीयतां रे श्रीजिनधर्मः शरणम् । अनुसंधीयतां रे, शुचितरचरणस्मरणम् ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ની બીજી અશરણ ભાવનાનું સમાપન કરતાં કહે છે ઃ ‘હે આત્મનું, તું ચાર શરણ સ્વીકારી લે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીપ્રણીત ધર્મનું શરણું લે. મમતાનો સંગ છોડી દે અને શિવસુખના નિધાનરૂપ શાન્તસુધા૨સનું આસ્વાદન કર.’
તીવ્ર રોગોથી અનિવાર્ય વૃદ્ધાવસ્થા તેમજ નિશ્ચિત મોતથી આ દુનિયામાં કોઈ બચવાનું નથી. નિયતિનો સ્વીકાર કરતાં જીવાત્માએ જીવનનો મોહ છોડી દેવો જોઈએ. જીવનના મોહથી મુક્ત થવું જોઈએ. દુઃખોનું મૂળ - મમત્વ :
જેવી રીતે જીવનમાં અશરણતા છે એ જ રીતે જીવન પણ અશરણ છે. મનુષ્ય પોતાના જીવનમાં કોઈક વાર અશરણતાનો અનુભવ કરે છે. જ્યાં જ્યાં એનાં બળ, બુદ્ધિ, શક્તિ, સંપત્તિ વગેરે શરણભૂત નથી બનતાં; સ્વજન-પરિજન શરણભૂત નથી બનતાં; ત્યાં મનુષ્ય ઘોર દુઃખનો અનુભવ કરે છે. મનુષ્યને પોતાનું જીવન પ્રિય લાગે છે અને જ્યારે એ જીવનને ભયમાં જુએ છે ત્યારે તે દુઃખી થઈ જાય છે. જ્યારે બચવાનો કોઈ માર્ગ નથી દેખાતો ત્યારે તે મરવાનો - આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. ચિત્ર-સંભૂત બંને ભાઈઓનું જીવન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સર્વ પ્રથમ નગરવાસીઓએ ‘આ તો ચાંડાલ છે’ - એવો તિરસ્કાર કરીને માર્યા હતા, ત્યારે તે પોતાની જાતને અશરણ સમજી મરવા માટે જંગલમાં ચાલ્યા ગયા હતા. ભાગ્યયોગે એ પહાડ ઉપર એમને મહામુનિ મળી ગયા અને તેમણે આશ્વાસન આપ્યું. ચાંડાલકુળને ધ્યાનમાં ન લેતાં મુનિરાજે એ બંને ભાઈઓને વાત્સલ્યથી - કરુણાથી શરણું આપ્યું અને સાધુત્વ અર્યું. બંને ભાઈઓને નવું જીવન મળ્યું.
પુનઃ હસ્તિનાપુર નગરમાં સંભૂતમુનિને નમુચિ મંત્રીએ ત્રાસ આપ્યો. તે સૈનિકોની સામે અશરણ થઈ ગયા અને જીવનનું મમત્વ જ તૂટી ગયું. બંને ભાઈઓએ - મુનિવરોએ અનશન જ સ્વીકારી લીધું ! સ્વૈચ્છિક મૃત્યુનું વરણ કરી લીધું. પરંતુ ચક્રવર્તી રાજાની રાણી-સ્ત્રીરત્નનું એવું નિમિત્ત મળ્યું કે પુનઃ સંભૂતમુનિના મનમાં જીવનનું મમત્વ જાગ્રત થઈ ગયું !!
૧૬૪
શાન્તસુધારસ : ભાગ ૧