________________
અશરણ સમજવો. * મિથ્યાત્વથી આહત અને ઉત્કૃષ્ટ અજ્ઞાનથી તે દ્રવ્યમુનિ શીલહીન બનીને,
સદાય દુઃખી થઈને, તત્ત્વવિપરીતતા પામીને, ચારિત્રની વિરાધના કરીને, સતત, નરકગતિ - તિર્યંચયોનિમાં જન્મ-મરણ કરે છે.
આ રીતે સાધુની વિવિધ અનાથતા - અશરણતા બતાવી છે. અનાથ - અશરણ બનેલા દ્રવ્યમુનિઓને દુર્ગતિમાં જવું જ પડે છે. તેમને કોઈ જ બચાવી શકતું નથી. આ એમની અશરણતા છે - અનાથતા છે. સંભૂતમુનિ નિયાણું ચક્રવર્તી સાતમી નારકીઃ
જ્યારે દ્રવ્યમુનિની અનાથતા - અશરણતાની વાત બતાવી છે, ત્યારે એક દ્રષ્ટાંત સંભળાવીને એ વાતને પુષ્ટ કરું છું. એ વૃષ્ટાંત છે બ્રહ્મદત્ત ચક્રવર્તીનું. આમ તો વાત અતિ વિસ્તૃત છે, પરંતુ સંક્ષિપ્તમાં કહું છું કારણ કે મારે જીવની અશરણતા બતાવવી છે.
કાશીમાં ભૂતદત્ત નામનો ચંડાળ રહેતો હતો. ખૂબ સમૃદ્ધિવાળો હતો. એને બે પુત્રો હતા - ચિત્ર અને સંભૂત. કાશીનો રાજા હતો શંખ, તેનો મંત્રી હતો નમૂચિ. એક વાર નમુચિએ બહુ મોટો અપરાધ ક્યો. રાજાએ નમુચિને મારવા માટે ભૂતદત્ત ચંડાળને સોંપ્યો.
નમુચિએ ભૂતદત્તને કહ્યું: ‘ગમે તેમ કરીને તું મને બચાવી લે.ભૂતદત્તે કહ્યું : જો તું મારા બંને પુત્રોને સારી રીતે શિક્ષણ આપે તો હું તને બચાવી લઉં.’ નમુચિ માની ગયો. ભૂમિગૃહમાં ગુપ્ત રીતે નમુચિએ ચિત્ર અને સંભૂતને ભણાવવાનું પ્રારંવ્યું. ગીત, સંગીત, નૃત્ય આદિ કલાઓ પણ શીખવવા લાગ્યો. કેટલાંક વર્ષો સુધી આ ઉપક્રમ ચાલતો રહ્યો. પરંતુ નમુચિનો ભૂતદત્તની પત્ની સાથે સંબંધ થઈ ગયો. તે બંને જણાં વ્યભિચાર સેવવા લાગ્યાં. એક દિવસે ભૂતદત્તને આ પાપલીલાનો ખ્યાલ આવી ગયો. તેણે નમુચિને મારી નાખવાનો નિર્ણય કર્યો. ચિત્ર - સંભૂતને ખબર પડી ગઈ કે તેમના પિતા નમુચિને મારી નાખવાના છે. તેમણે નમુચિને ગુપ્ત માર્ગે નસાડી મૂક્યો.
આ બાજુ નગરમાં મદનમહોત્સવ પ્રવર્તિત થયો. નગરના લોકો ઉદ્યાનમાં આવવા લાગ્યા. ચિત્ર-સંભૂત પણ ગાતાં ગાતાં નગરમાં ફરવા લાગ્યા. એ એટલું તો મધુર ગાતા હતા કે તેમની આજુબાજુ લોકોની ભીડ જામી ગઈ. લોકો પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ કેટલાક રાજપુરુષોએ જઈને રાજાને કહ્યું કે બે ચાંડાલપુત્રોએ પોતાની ગીતકલા દ્વારા લોકોને આકર્ષી છે અને નગરને અપવિત્ર કર્યું છે.'
[ ૧૫૮
શાન્ત સુધારસઃ ભાગ ૧]