________________
* જે જીવાત્મા પાંચ ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધ હોય છે તે અનાથ - અશરણ
હોય છે. - સાધુ પણ અનાથ - અશરણ કેવી રીતે? :
‘ઉત્તરાધ્યયન સૂત્રમાં અનાથિમુનિએ રાજા શ્રેણિકને સાધુ-શ્રમણની પણ અનાથતા બતાવી - અશરણતા બતાવી છે, એ સમજવા જેવી વાત છે. આ અનાથતા - અશરણતા પરલોકની બાબતમાં બતાવી છે. * અનાથિમુનિએ કહ્યું: ‘હે રાજનું, નિગ્રંથ ધર્મની પ્રાપ્તિ થયા છતાં નિ:સત્ત્વ મનુષ્ય પોતાના આચારપાલનમાં શિથિલ બને છે. સ્વ-પરની રક્ષા કરવા સમર્થ બનતા નથી. આ એ જીવોની અશરણતા છે. * પ્રવજ્યા લીધા પછી જે સાધુ પ્રમાદને કારણે મહાવ્રતોનું સારી રીતે પાલન નથી
કરતો, આત્માનુશાસન નથી કરતો, રસાસક્ત હોય છે, તે સમૂલ રાગદ્વેષનું ઉચ્છેદન કરી શકતો નથી; આ એની અશરણતા છે. * જે સાધુ પાંચ સમિતિનું પાલન નથી કરતો, તે મોક્ષમાર્ગનું અનુસરણ નથી કરી
શકતો, એ પણ એની અનાથતા છે. * જે સાધુ કેશલુંચન કરે છે, પરંતુ સંયમાનુષ્ઠાન નથી કરતો, તપ અને નિયમોથી ભ્રષ્ટ થાય છે, તે અનાથ - અશરણ બનીને સંસારમાં પરિભ્રમણ કરતો થઈ જાય
* જેનામાં સાધુતાનો ભાવ નથી હોતો, જે સાધુના આચારોના પાલનમાં શિથિલ હોય છે, તે દ્રવ્યસાધુ કહેવાય છે. દ્રવ્યમુનિ અસાર હોય છે, નિર્ગુણ હોય છે. તે સર્વત્ર ઉપેક્ષિત હોય છે. તે લોકો જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં મૂલ્યહીન હોય છે. આવા દ્રવ્યમુનિઓ સરળ જીવોને ઠગે છે. તેઓ અશરણ બનીને સંસારમાં ભટકે
* માત્ર ઉદરભરણ માટે જે સાધુવેશ ધારણ કરે છે, અસંયમી હોવા છતાં સંયમી
કહેવડાવે છે, તે દીર્ઘકાળપર્યત નરકાદિ દુર્ગતિઓમાં વિનિપાત પામે છે. * જે રીતે પીધેલું ઝેર, ખોટી રીતે પકડેલું હથિયાર, અવિધિથી કરેલી મંત્રસાધના મનુષ્યને મારે છે; એ જ રીતે શબ્દાદિ વિષયોની લંપટતા, દ્રવ્યમુનિનું દુર્ગતિમાં પતન કરાવે છે. * જે દ્રવ્યમુનિ લક્ષણશાસ્ત્ર અને સ્વપ્નશાસ્ત્રનો પ્રયોગ કરે છે, જે દ્રવ્યમુનિ
અષ્ટાંગ જ્યોતિષનો નિમિત્ત તથા સંતાનાદિ માટે પ્રયોગ કરે છે. ઇન્દ્રજાલ, જાદુમંત્ર, તંત્રવિદ્યારૂપ આસવોનું સેવન કરે છે, એ દ્રવ્યમુનિને અનાથ -
અશરણ ભાવના
૧૫૭