________________
- ઇન્દ્રિય-વિજય કરવા પ્રયત્નશીલ હોય છે. – મનોજય કરવા પ્રતિક્ષણ જાગ્રત રહે છે. – ઘોર - વીર અને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. - પોતાના મહાવ્રતોનું વૃઢતાપૂર્વક પાલન કરે છે.
અનાથિમુનિમાં આ પાંચ વાતો હતી, એટલા માટે તે “નાથ” બન્યા હતા. શ્રેણિકમાં આ પાંચ વાતો ન હતી એટલા માટે તેઓ અનાથ હતા. મુનિએ શ્રેણિકને એટલા માટે “અનાથ' કહ્યો હતો. સંસારમાં જીવ અનાથ - અશરણ છે :
સંસારમાં જીવ ઉગ્ર રોગોની સામે, વૃદ્ધાવસ્થાની સામે અને મૃત્યુની સામે તો અનાથ - અશરણ જ છે. પરંતુ આ વાતો સિવાય આધ્યાત્મિક વૃષ્ટિથી પણ જીવ કેવો. અનાથ અને અશરણ છે એ પણ સમજી લેવાનું છે. * જે જીવાત્મા અરિહંત પરમાત્માની, સિદ્ધ ભગવંતની, સાધુપુરુષોની અને કેવલી પ્રણીત ધર્મની અવજ્ઞા કરે છે, તેમની આજ્ઞા નથી માનતો, તેમના પ્રત્યે
શ્રદ્ધાવાન નથી હોતો, તે અનાથ - અશરણ છે. * જે જીવાત્મા ક્રોધ, માન, માયા અને લોભ કરતો રહે છે; ચાર કષાયોને પાપ
માનતો નથી; તે અનાથ - અશરણ છે. * જે જીવાત્મા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહમાં લીન રહે છે - આ પાંચમહાપાપોને પાપ માનતો નથી; એ પાપોના ત્યાગની ભાવના રાખતો નથી; તે અનાથ છે, અશરણ છે. * જે જીવાત્મા મન-વચન-કાયાના અશુભ યોગોમાં, પાપકર્મોમાં પ્રવર્તિત રહે છે,
શુભ યોગોમાં પડતો નથી, તે અનાથ - અશરણ છે. * જીવાત્મા માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યનો ત્યાગ કરતો નથી, તે
અનાથ છે – અશરણ છે. * જે જીવાત્મા રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવમાં લીન રહે છે, તે અનાથ
અશરણ હોય છે. * જે જીવાત્મા જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના અને ચારિત્રવિરાધના કરતો રહે છે,
તે અનાથ - અશરણ હોય છે. * જે જીવાત્મા આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરતો રહે છે. ધર્મધ્યાન નથી કરતો તે
અનાથ - અશરણ હોય છે.
| ૧૫૬
સુધારસઃ ભાગ ૧|