________________
દાહવર વગેરે તમામ પ્રકારનું દર્દ શાંત થઈ ગયું.'
રાજેશ્વર, પ્રભાતમાં મેં મારાં માતાપિતા અને સ્વજનોને મારો સંકલ્પ સંભળાવ્યો. શુભ સંકલ્પનો પ્રભાવ જણાવ્યો. તેમની પાસેથી મેં સાધુ બનવાની રજા લીધી, અને હું સાધુ બની ગયો. કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન અને આરંભ - સમારંભના ત્યાગવાળી સાધુતાનું પાલન કરવા લાગ્યો. હે રાજનું, ત્યારે તો હું નાથ બન્યો, સનાથ બન્યો! પોતાનો નાથ બન્યો. બીજા જીવોનો પણ નાથ બન્યો. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
तओहं नाहो जाओ, अप्पाणो य परस्य य । सव्वेसिं चेव भूआणं तसाणं थावराण य ॥३५॥
૩. મ. ૨૦ તમારા અને બીજાંના નાથ કેવી રીતે બન્યા?:
મુનિવરે શ્રેણિકને આગળ કહ્યું: “રાજનું, અણગાર બન્યા પછી હું સ્વનો જ - પોતાનો નાથ બન્યો અને ત્રસ, સ્થાવર તમામ જીવોની રક્ષા કરનાર નાથ બન્યો. રાજનું પ્રથમ તો હું પોતે પોતાનો નાથ કેવી રીતે બન્યો તે બતાવું.
अप्पा नई वेअरणी, अप्पा मे कूडसाल्मणी । अप्या कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ॥ अप्पा कत्ता विकत्ताय दुहाणय सुहाणय ।
अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय-सुपट्ठिओ ॥ આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ વજકંટકોવાળું શાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામાદુગ્ધા ધેનું છે અને આત્મા જ નંદનવન છે. આત્મા જ સુખદુઃખનો કર્તા છે. આત્મા જ મિત્ર છે અને આત્મા જ શત્રુ છે.
જ્યાં સુધી જીવ સંસારમાં વિષયકષાયોમાં મગ્ન રહે છે, ત્યાં સુધી વૈતરણી નદીરૂપ છે. મેં સંસારનો ત્યાગ કરી દીધો. હું પોતે પોતાનો નાથ બન્યો. મેં સંસારનો આરંભ - સંમારંભોનો ત્યાગ કરી દીધો. એટલા માટે હું બીજા જીવોનો પણ નાથ બન્યો. મેં જ્યારે સાધુતાનો સ્વીકાર કરી લીધો તો મને કામધેનુ મળી ગઈ. નંદનવન મળી ગયું. હુંચિત્તનો પરમ આનંદ અનુભવું છું. આ મારી સનાથતા છે. મન-વચનકાયાથી હું સંયમધર્મનું નિરતિચાર પાલન કરું છું. એટલા માટે સ્વ-પરનો નાથ છું.
રાજનું, સ્વ-પરનો નાથ તે જ બને છે કે જે - - કર્મશત્રુઓનો નાશ કરવા તત્પર હોય છે.
અશરણ ભાવના
૧૫૫