________________
ભલેને તમે દીર્ઘકાળ સુધી પ્રાણાયામ કરો, શ્વાસનિરોધ કરો. ભલેને સમુદ્રની પેલે પાર જઈને રહો, ભલેને ઊંચા પહાડ ઉપર જઈને વસો. પરંતુ એક દિવસે તમારા આ દેહનું પિંજર જીર્ણ થવાનું જ છે. એટલે કે વૃદ્ધાવસ્થા આવવાની જ છે.
શ્યામ કેશ-સુશોભિત શિરને શ્વેત કરી દેનાર અને સુંદર શરીરને શુષ્ક કરી દેનારી જરા-વૃદ્ધાવસ્થાને રોકવા માટે કોણ સમર્થ છે? કોઈ જ નહીં. વૃદ્ધાવસ્થાથી બચવા માટે એક જ ઉપાય છે વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ આયુષ્ય પૂર્ણ થઈ જાય. મૃત્યુ આવી જાય તો જ વૃદ્ધાવસ્થાથી બચી શકાય છે. ઉગ્ર રોગોની સામે જીવની અશરણતા:
જ્યારે મનુષ્યના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે ત્યારે એને કોણ બચાવી શકે છે? કોઈ જ નહીં. રાહુની પીડા એકલો ચંદ્ર જ સહન કરે છે, એ જ રીતે તમારા રોગોની પીડા તમારે પોતાને જ સહન કરવી પડે છે. તેમાં કોઈ પણ ભાગીદાર બનતું નથી.
આ જ વાત રાજગૃહીના મંડિતકુક્ષી નામના ઉદ્યાનમાં અનાથિમુર્તિ રાજા શ્રેણિકને પોતાના જ વૃત્તાંત દ્વારા બતાવી રહ્યા હતા. કાલે મેં તમને આ જ વૃત્તાંત સંભળાવ્યું હતું ને? ઘેર જઈને ચિંતન-મનન કર્યું હતું ને? યાદ રાખજો, આ પ્રવચન ભાવનાઓના વિષયમાં ચાલી રહ્યું છે. પુનઃ પુનઃ ચિંતન કરવું એ જ ભાવના છે. અનિત્યતાનું વારંવાર ચિંતન કરવાનું છે. અશરણતાનું વારંવાર ચિંતન કરવાનું છે. ' ત્યારે જ એ ભાવનાઓ આત્મસાત્ બનશે. હું અશરણ છું, આ સંસારમાં એ અનુભૂતિ થશે. અનાથિમુનિનું આત્મવૃત્તાંતઃ
રાજા શ્રેણિકના પ્રશ્નના ઉત્તરમાં મુનિરાજે કહ્યું: “મેં મારા મનમાં વિચાર્યું, સંકલ્પ કર્યો કે આ તીવ્ર - મહાવેદનાથી જો હું એક વાર મુક્ત થઈ જાઉં તો ક્ષમાવાન બનાવનારી, ઈન્દ્રિયો અને મનને જીતનારી અને અનારંભી બનાવનાર સાધુતાનો સ્વીકાર કરીશ.”
सयं च जइ मुच्चिज्जा वेअणा विउला इसो । खंतो दन्तो निरारंभो पव्वइए अणगारिअं ॥३२॥
उत्तराध्ययन/अ-२० હે રાજન, આ રીતે ચિંતન કરતાં કરતાં મને નિદ્રા આવી ગઈ. કેટલાય દિવસોથી મને નિદ્રા આવી ન હતી. હુંનિદ્રાધીન થઈ ગયો. શુભચિંતનના પ્રભાવથી, રાત્રિ પૂરી થતાં મારી વેદના ચાલી ગઈ. મારી આંખોની વેદના... મારા શરીરનો
| શાન્તસુધારસઃ ભાગ ૧ |
૧૫૪