________________
तुरगरथेभनरावृत्तिकलितं दधतं बलमस्खलितम् ।
हरति यमो नरपतिमपि दीनं मैनिक इव लघु मीनम् ॥२॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् । प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने । तदपि न मुञ्चति हत समवर्ती, निर्दयपौरुषनर्ती ॥ ३ ॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् ।
विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ॥ ४ ॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् ॥
મૃત્યુની સામે અશરણતા :
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી જીવાત્માની અશરણતા બતાવતાં કહે છે કે જેવી રીતે માછીમાર નાની-મોટી માછલીઓને સરળતાથી પકડી લે છે; એ જ રીતે યમરાજ અશ્વ, રથ, હાથી અને પદાતિ સૈન્યથી સજ્જ અને અપ્રતિમ બળવાળા રાજાઓને પકડી લે છે. ભલેને તે રાજાઓ યમરાજની સામે દીનતા પ્રકટ કરતા હોય.
મહાકાળથી બચવા માટે કોઈ મનુષ્ય વજ્રના ઘરમાં પ્રવેશી જાય, અથવા મુખમાં તણખલું લઈને યમરાજની સામે પોતાની હાર કબૂલ કરે તો પણ તે નિર્દય યમરાજ કોઈનેય છોડતો નથી. દેવોને આધીન કરનાર મંત્ર, વિદ્યાઓ અથવા ઔષધિઓનો પ્રયોગ કરે અગર પોતાના શરીરને પુષ્ટ કરનાર રસાયણોનું સેવન કરે છતાં પણ મૃત્યુ તેને છોડતું નથી. વૃદ્ધાવસ્થાની સામે જીવની અશરણતા :
મૃત્યુ સમક્ષ જીવની અશરણતા - અનાથતાનું આ અદ્ભુત વર્ણન છે. એ જ રીતે ‘વૃદ્ધાવસ્થા’ની સામે પણ જીવની કેવી અશરણતા છે તેનું નિરૂપણ પણ સાંભળો. वपुषि चिरं निरुणद्धि समीरं पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि सजीर्यति जरसा ॥ ५ ॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् ।
सृजतीमसितशिरोरुहललितं मनुजशिरः सितपलितम् । को विदधानां भूधनमरसं प्रभवति रोद्धुं जरसम् ॥ ६ ॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् ॥
અશરણ ભાવના
૧૫૩