SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ આ બે ચાંડાલપુત્રોને નગરમાંથી બહાર કાઢી મૂકવા કોતવાલને આજ્ઞા કરી, પરંતુ કેટલાક દિવસો પછી ચિત્ર અને સંભૂત બુરખો ઓઢીને ફરીથી નગરમાં ફરવા લાગ્યા, ગાવા લાગ્યા. હજારો નગરયુવકો તેમની કલાથી આકર્ષાયા. “આ બે કોણ ગાયકો છે?' એવી જિજ્ઞાસાથી યુવકોએ તેમનો બુરખો ખેંચી લીધો - “અરે આ તો પેલા ચાંડાલપુત્રો છે. લોકો એમને મારવા લાગ્યા. ચિત્ર-સંભૂત નગરની બહાર ચાલ્યા ગયા. ગંભીર’ નામે ઉધાનમાં ગયા. એક વૃક્ષની નીચે બેસીને વિચારવા લાગ્યા, “આપણે હીન જાતિના હોવાને કારણે આપણી કલા, આપણું રૂપ, આપણું કૌશલ્ય વગેરે ધિકકારપાત્ર બની ગયાં છે. આવી ધિકારપાત્ર અવસ્થામાં જીવવા કરતાં મરી જવું વધારે સારું છે.' આત્મહત્યા કરવાની વિચારણા કરી બંને ભાઈઓ દક્ષિણ દિશામાં ચાલ્યાં. ચાલતાં ચાલતાં બંને ભાઈઓ એક ખૂબ જ ઊંચા પહાડ ઉપર પહોંચ્યા. બંનેએ વિચાર કર્યો - ‘આ પહાડના શિખર ઉપર ચડીને ત્યાંથી ઊંડી ખાઈમાં પડીને મરી જઈએ.’ એ લોકો પર્વત ઉપર ચડવા લાગ્યા. શિખર ઉપર એમણે એક મહામુનિને જોયા. મુનિવર કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. મુનિરાજનાં દર્શન કરવાથી ચિત્ર-સંભૂતના હૃદયમાં આનંદ થયો. એ લોકો પોતાનાં દુઃખ ભૂલી ગયા. એમની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. તેઓ મુનિરાજનાં ચરણોમાં નમી પડ્યા. મુનિરાજે ધ્યાન પૂર્ણ કર્યું અને પૂછ્યું: ‘તમે કોણ છો? અને અહીં શા માટે આવ્યા છો?’ ચિત્ર-સંભૂતે પોતાની આખીય વ્યથાની કથા સંભળાવી. મુનિવરે કહ્યું “મહાનુભાવો, આત્મહત્યા કરવાથી તમારા શરીરનો નાશ થશે, પરંતુ તમારાં પાપકર્મોનો નાશ નહીં થાય. જ્યાં સુધી આત્માની સાથે પાપકર્મો લાગેલાં રહેશે ત્યાં સુધી દુઃખોનો અંત આવવો શક્ય નથી. બીજા જન્મમાં વધારે ભારે દુઃખ ભોગવવાં પડશે. છતાં પણ જો તમારે શરીરનો ત્યાગ કરવો જ છે, તો તપશ્ચર્યા કરીને શરીર ત્યજો. તપશ્ચર્યાથી સ્વર્ગ અને મોક્ષનાં સુખ મળે છે. ઘોર-વીર અને ઉગ્ર તપશ્ચર્યા કરવાથી આ દુર્લભ માનવજીવન સફળ થાય છે. આ માનવદેહ અતિમૂલ્યવંત છે. એનો વ્યર્થ નાશ ન કરવો જોઈએ. મહામુનિની અમૃતમયી વાણી સાંભળીને બંને ભાઈઓનાં મન નિર્મળ બન્યાં - પવિત્ર બન્યાં. આત્મહત્યા કરવાનો વિચાર છોડી દીધો. બંનેએ એ મુનિની પાસેથી શ્રમણધર્મનો સ્વીકાર કર્યો. બંને ભાઈઓ સાધુ બની ગયા. મુનિરાજે બંને ભાઈઓને સારું અધ્યયન કરાવ્યું. તેઓ જ્ઞાની બન્યા. તપસ્વી બન્યા. ગુરુદેવની આજ્ઞા પામીને ચિત્રમુનિ અને સંભૂતમુનિ ગામ-નગરોને પાવન કરતા અશરણ ભાવના ૧૫૯
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy