SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ શત્રુ કાન, નાક વગેરે ઇન્દ્રિયોમાં તીક્ષ્ણ પ્રહાર કરે અને પીડા ઉત્પન્ન થાય તેવી નેત્રવેદના હતી. કમરની બહાર અને અંદર, વક્ષસ્થળની બહાર અને અંદર તેમજ મસ્તકમાં મને ભયંકર પીડા થઈ રહી હતી. એક ક્ષણ વાર પણ મને ચેન પડતું ન હતું. એક પળ પણ મને સુખ મળતું ન હતું. મારાં માતાપિતા, પત્ની, ભાઈબહેન - કોઈ પણ મને આ ઘોર વેદનામાંથી બચાવી શકતાં ન હતાં. મારા અતિ પુત્રવત્સલ પિતાએ શાસ્ત્રકુશળ વૈદ્યોને બોલાવ્યા, ઔષધો મંગાવ્યા, અનેક પરિચારકો ઉપસ્થિત કર્યા. વૈદ્યરાજો મારી ચિકિત્સા કરવા લાગ્યા, પરંતુ તે બધા મને રોગમુક્ત કરી શક્યા નહીં - આ મારી પ્રથમ અનાથતા હતી. મારા પિતાનો મારા પ્રત્યે અગાધ પ્રેમ હતો. વૈદ્યોએ મારે માટે જે જે મૂલ્યવાન ઔષધો મંગાવ્યાં, તે તમામ ઔષધદ્રવ્યો લાવીને હાજર ક્ય; તો પણ પિતાજી મને દુઃખમાંથી મુક્ત કરી શક્યા નહીં. - આ મારી બીજી અનાથતા હતી. કહે રાજેશ્વર, પુત્રવત્સલ મારી પ્રિય માતા મારા દુઃખને લીધે અત્યંત શોકાતુર બની હતી. તે પણ મને રોગમુક્ત ન કરી શકી' - આ મારી ત્રીજી અનાથતા હતી. હે મહારાજા, મારા નાના અને મોટા - બધા ભાઈઓ મારા પ્રત્યે અત્યંત અનુરોગવાળા હતા. તે પણ મને રોગમુક્ત, દુઃખમુક્ત ન કરી શક્યા - એ મારી ચોથી અનાથતા હતી. - હે મગધાધિપતિ, મારી નાની મોટી બહેનો મારા પ્રત્યે અત્યંત અનુરાગવતી હતી. મારા દર્શને જોઈને રડી રહી હતી, તે મને મારી વેદનામાંથી મુક્ત કરી ન શકી - આ મારી પાંચમી અનાથતા હતી. હે શ્રેણિક રાજા, મારી સ્વરૂપવતી અને પતિવ્રતા પત્ની આંસુ વહાવતી મારી છાતીને ભીંજવી રહી હતી. તે પણ મારું દુઃખ દૂર કરી શકી ન હતી' - આ મારી છઠ્ઠી અનાથતા હતી. મારી પત્નીએ ભોજન, સ્નાન, વિલેપન, જલપાન વગેરે ત્યજી દીધાં હતાં. મારી પાસે જ ઊભી રહી હતી. મને છોડીને ક્ષણભર દૂર થતી ન હતી. છતાં હું વેદનામુક્ત ન થયો. આ મારી કેવી કરુણ અશરણતા? રાજા શ્રેણિક દત્તચિત્ત થઈને અનાથિમુનિનું વૃત્તાંત સાંભળી રહ્યા હતા. તેમને જીવની અનાથતાનો, અશરણતાનો ખ્યાલ આવી રહ્યો હતો. તેમણે પૂછ્યું: હેમુનિ, જ્યારે કોઈ ઔષધ કામ ન આવ્યું ત્યારે આપના પિતાએ શું કર્યું. આપ રોગમુક્ત કેવી રીતે થયા?” આજે બસ, આટલું જ. [ અશરણ ભાવના | અશરણ ભાવના | ૧૫૧ | ૧૫૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy