________________
મુનિએ રાજાની સામે જોયું. એની આંખોમાં ઊંડાણથી જોયું અને બોલ્યા: “રાજન, હું અનાથ છું! અશરણ છું ! મારું યોગક્ષેમ કરનાર કોઈ નાથ મને મળ્યો. નહીં કોઈ શરણદાતા મુનિ- કરુણાવંત પુરુષ મને મળ્યો નહીં. કોઈ એવો સ્નેહીસ્વજન - મિત્ર મળ્યા નહીં. એટલા માટે યૌવનકાળમાં જ હું સાધુ બન્યો.”
મુનિરાજની વાત સાંભળીને શ્રેણિક હસવા લાગ્યા. તેમણે કહ્યું હે આય, એવું જ હોય તો હું આપનો નાથ બનું! અને હું નાથ બનીશ તો આપને અનેક મિત્રો, સ્વજનો, સ્નેહીઓ મળશે. બસ, આપ વૈષયિક સુખ ભોગવતાં રહો અને મનુષ્યજન્મને સફળ કરો.”
આ સાંભળીને મુનિના મુખ ઉપર સ્મિત ઊભરાઈ આવ્યું. તે બોલ્યા : 'હે મગધાધિપતિ, તું સ્વયં અનાથ છે, તું મારો નાથ ક્યાંથી બનશે?”
अप्पणा वि अणाहोसि सेणिया मगहाविहा ।
अप्पणा अणाहो संतो कहं मे भविस्ससि ? ॥ આમ તો પહેલેથી જ શ્રેણિક મુનિવરના રૂપગુણથી વિસ્મિત હતો જ, પરંતુ જ્યારે મુનિએ આ પ્રકારનાં વચનો કહ્યાં ત્યારે તે અત્યંત વિસ્મય પામ્યો. અત્યંત સંભ્રમિત થયો અને બોલ્યો -
હે મુનિ, મારી પાસે હાથી, ઘોડા અને અંતઃપુર છે, હું હજારો ગામ-નગરોનો માલિક છું. હું મનુષ્યયોગ્ય વિપુલ ભોગ ભોગવું છું. હું મગધ દેશનો શાસક છું. - માલિક છું. અનેક સામંત રાજા મારી આજ્ઞા માને છે. મારી પાસે વિપુલ સમૃદ્ધિ છે. મારું અદ્વિતીય ઐશ્વર્ય છે. ઉત્કૃષ્ટ સંપત્તિ છે અને પ્રજાજનોની કામનાઓને પૂર્ણ કરનારો છું. તો પછી હું અનાથ કેવી રીતે ? હે મુનિ, જેની પાસે કશું જ હોતું નથી તે અનાથ કહેવાય છે. હું તો સર્વ સંપત્તિનો નાથ છું - અનાથ નથી.'
“હે રાજનું મેં કયા અર્થમાં, કયા અભિપ્રાયથી “અનાથ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે તમે સમજ્યા નથી - જાણતા નથી. અનાથતા અને સનાથલાનાં મૂળ કારણ તમે જાણતા નથી. હે રાજેશ્વર, મેં મારે માટે જે “અનાથ' શબ્દનો પ્રયોગ કર્યો તેનું કારણ તમે સાંભળો. ચિત્તને સ્થિર કરીને સાંભળો.” અનાથિમુનિનું આત્મવૃત્તાંતઃ
હું કૌશામ્બી નગરીનો નિવાસી હતો. મારા પિતાની પાસે કુબેર જેટલી સંપત્તિ હતી. હું જ્યારે યુવાવસ્થામાં આવ્યો ત્યારે એક સુંદર અને ગુણનિધાન કન્યા સાથે મારાં લગ્ન કરવામાં આવ્યાં. હું સંસારનું સર્વશ્રેષ્ઠ સુખ ભોગવતો હતો.
એક દિવસે મારી આંખોમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. મારા શરીરના તમામ અવયવોમાં તીવ્ર દાહ ઉત્પન્ન થયો. આખા શરીરે દાહ ઉત્પન્ન થયો. જેવી રીતે
શાન્ત સુધારસઃ ભાગ ૧
૧૫૦