SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ હોતાં નથી. શ્રીકૃષ્ણ જરાકુમારને પોતાનો કૌસ્તુભ મણિ આપીને પાંડવો પાસે મોકલ્યો છે.' બલરામે દેવને કહ્યુંઃ સિદ્ધાર્થ તેં અહીં આવીને મને બોધ આપ્યો, તે ખૂબ સારું કર્યું. પરંતુ ભાઈના મૃત્યુથી હું અત્યંત વ્યથિત છું. હવે હું શું કરું તેનો માર્ગ બતાવ. સિદ્ધાર્થ દેવે કહ્યું: “આપ ભગવાન નેમિનાથના વિવેકી ભ્રાતા છો, આપને માટે માત્ર ચારિત્રધર્મ જ શરણભૂત છે.' બલરામે કહ્યું “સારી વાત છે. સંસાર તરફથી મારું મન વિરક્ત બન્યું જ છે. ભ્રાતા વગર સંસારમાં રહેવું મારે માટે અસંભવ છે.' બલરામે સિંધુ અને સાગરના સંગમ ઉપર જઈને શ્રીકૃષ્ણના દેહને અગ્નિદાહ દીધો. એ સમયે ભગવાન નેમિનાથે બલરામના ચારિત્રના ભાવ જાણીને વિદ્યાધર મુનિને આકાશમાર્ગે ત્યાં મોકલ્યા. બલરામે એ મુનિવર પાસેથી દીક્ષા લીધી. श्री जिनधर्मः शरणम् । शुचितरचरण-स्मरणम् । બલરામ મુનિએ શ્રી જિનધર્મનું શરણું લઈ લીધું અને પવિત્ર ચારિત્રધર્મનું પાલન કરવા લાગ્યાં. અનાથતા-અશરણતા અને અનાથિમુનિ: હવે હું આ જ સંદર્ભમાં અનાથિમુનિનું વૃત્તાંત સંભળાવું છું. એ ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલું છે અને ઉત્તરાધ્યયન સૂત્ર તો ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના છે. એટલે કે અનાથિમુનિની વાત સ્વયં ભગવાન મહાવીરે સંભળાવી છે. મહારાજા શ્રેણિક રાજગૃહી નગરીના બહારના મંડિતકુક્ષી નામના ઉદ્યાનમાં ફરવા આવ્યા હતા. મંડિતકુક્ષી ઉદ્યાન નંદનવન જેવું સુંદર હતું. એ ઉદ્યાનમાં એક વૃક્ષની નીચે બેઠેલા અતિકોમળ અને સમાધિમગ્ન એક યુવાન મુનિને જોયા. મુનિને જોઈને શ્રેણિક રાજાને ખૂબ આશ્ચર્ય થયું. તેણે વિચાર કર્યો: ‘આ મુનિનું ગૌર રૂપ, આકાર વગેરે અપૂર્વ અને અલૌકિક છે, એના મુખ ઉપર અપૂર્વ-અદ્ભુત સૌમ્યતા છે, ચમત્કારિક ક્ષમાભાવ છે અને અદ્વિતીય નિઃસ્પૃહતા જોવા મળે છે.” રાજાએ મુનિવરનાં ચરણોમાં વંદના કરી, ત્રણ પ્રદક્ષિણા કરી અને વિનયથી મુનિરાજની સામે બેસી ગયો. મસ્તક ઉપર અંજલી રચીને રાજાએ મુનિરાજને પ્રશ્ન પૂછ્યો “હે મુનિવર, આપ તરુણ છો, યુવાન છો. આપની ઉંમર વિષયભોગની છે. આ ઉંમરે આપ સાધુ શા માટે બન્યા? કોઈ વિશેષ ધરણ હશે, જેને કારણે આપ સાધુ બન્યા છો - આ કારણ જાણવા માટે મને જિજ્ઞાસા છે.” અશરણ ભાવના ૧૪૯ |
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy